સુરતમાં PAAS કન્વિનર અલ્પેશ કથિરીયા અને દિનેશ બાંભણિયા રાજકોટ, જેતપુર, ગોંડલ સહિતના શહેરોના પાસના કન્વીનરો અને કાર્યકરો સાથે કરી મિટિંગ
અલ્પેશ કથીરિયાની 4 માસ બાદ જેલમુક્તિ
દિનેશ બાંભણીયાએ સરકારને ચીમકી આપી
"માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર કાર્યક્રમો થશે"
ગુજરાત પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથીરિયાની 4 માસ બાદ જેલ મુક્તિ થતા ખોડલ ધામના દર્શને આવ્યા હતાં. માં ખોડલના ચરણોમાં માથું નમાવીને આશીર્વાદ લીધા હતા અને અહીં આરતીમાં પણ ભાગ લીધો. ત્યારબાદ તેઓ રાજકોટ, જેતપુર, ગોંડલ સહિતના શહેરોના પાસના કન્વીનરો અને કાર્યકરો સાથે મિટિંગ કરી હતી. તેમજ આગામી રણનીતિ અંગે ચર્ચા પણ કરી હતી. અલ્પેશ કથીરિયાએ જણાવ્યુ કર્યું હતું કે પાસના કાર્યકરો ઉપર જે કેસ છે તે પાછા ખેંચવામાં આવે અને તેઓને મુક્ત કરવામાં આવે.
આ ઉપરાંત તેમણે માંગ કરી હતી કે, આંદોલનમાં શહીદ થયેલા પરિવાર સાથે ન્યાય કરવામાં આવે અને તેના પરિવારને સરકારી નોકરી આપીને સહાય કરવામાં આવે. દિનેશ બાંભણીયાએ સરકારને ચીમકી આપી હતી કે જો માંગ સ્વીકારવામાં નહિ આવે તો 2017 કરતા પણ ઉગ્ર કાર્યક્રમો થશે અને વધારે ખરાબ પરિસ્થિતિ થશે.
અલ્પેશ કથિરીયા અને દિનેશ બાંભણિયાની લાલજી પટેલ સાથે મુલાકાત
ગઈકાલે મહેસાણા ખાતે અલ્પેશ કથિરીયા અને દિનેશ બાંભણિયા સહિતના પાસ આગેવાનો પહોંચ્યા હતા. જ્યાં SPGના લાલજી પટેલ સાથે પાટીદારોની બેઠક યોજાઈ હતી. સમગ્ર બેઠક આગામી સમયમાં યોજાનારા આંદોલન અંગે થઈ હતી. પડતર પ્રશ્નોને લઈ ફરી પાટીદાર સમાજ આંદોલન કરશે. SPG અને PAASની મહેસાણામાં મળેલી બેઠકમાં ચર્ચા ચૂકી છે. જેલમાંથી છૂટ્યા બાદ અલ્પેશ કથેરિયા અને લાલજી પટેલ વચ્ચે આ પહેલી બેઠક યોજાઈ હતી. જેમાં પાટીદાર સમાજના પડતર પ્રશ્નો ઉકેલવા અને તેને આંદોલન સાથે જોડવાની ચર્ચા થઈ હતી.
આગામી સમયમાં ફરીથી આંદોલન પાર્ટ-2 શરૂ થશે
જો કે, અગાઉ 2015માં એક મોટું આંદોલન હાર્દિક પટેલને ચહેરો બનાવીને કરવામાં આવ્યું હતું. ગત આંદોલનમાં રજૂ કરાયેલી કેટલીક માંગણીઓ ન સ્વિકારી નથી. તેવી વાત સાથે પાટીદારોનું આંદોલન-પાર્ટ 2 શરૂ થશે. પ્રથમ આંદોલનમાં જીવ ગુમાવનાર યુવકોના પરિવારજનને નોકરીની માગ બીજા આંદોલનમાં કરાશે. તો સાથે પ્રથમ આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા કેસ પરત ખેંચવાની માગ કરાશે.
લાલજી પટેલનું નિવેદન
લાલજી પટેલે કહ્યું કે, 2004થી આંદોલન થઈ રહ્યું છે. અને પાટીદારોના નવા નવા સંગઠનો બન્યા હતા. પરંતુ આંદલનમાં તમામ લોકોએ એક થઈને લડ્યા હતા. ટૂંક સમયમાં પાટીદારો એકસાથે આવીને ફરી આંદોલનમાં ઉતરી રહ્યા છે. આંદોલનકારીને રાજકીય હાથો નહીં બનવા દઈએ.