કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે PM મોદી વિશે પોતાના વિરોધીઓ સાથે વાત ન કરવાનું સૂચન કર્યું છે. તેઓએ સોમવારે સૂચન કર્યું છે કે પીએમ મોદી 5 આલોચકોને પસંદ કરે અને સાથે નાગરિકતા સંશોધન કાયદા પર સવાલ અને જવાબનું સત્ર યોજે. જેથી લોકો CAA પર પોતાના નિર્ણય સુધી પહોંચી શકે.
ચિદમ્બરમે PM મોદીને આપ્યું સૂચન
CAAને લઈને 5 આલોચકો સાથે કરાય ચર્ચા
કોંગ્રેસના નેતાને આશા છે કે પીએમ તેમના સૂચન પર સકારાત્મક પ્રતિક્રિયા આપશે. પૂર્વ ગૃહમંત્રીએ કહ્યું કે પીએમમનું કહેવું છે કે CAA નાગરિકતા આપવાનો કાયદો છે, છીનવાનો નહીં. અમારામાંથી અનેક લોકોનું માનવું છે કે CAA અનેક વ્યક્તિઓ માટે ગેર નાગરિક જાહેર કરશે અને તેમની નાગરિકતા છીનવી લેશે.
PM મીડિયા સિવાય કોઈના સવાલના જવાબ આપતા નથી
તેઓએ આગળ કહ્યું કે પીએમ લોકોનું મોઢું બંધ કરવા માટે મંચથી વાત કરે છે અને સવાલ સાંભળતા નથી. અમે મીડિયાની મદદથી વાત કરીએ છીએ અને તેઓ મીડિયાના સવાલોના જવાબ આપવા તૈયાર રહે છે. પીએમ પોતાના વિરોધીઓ સાથે વાચ કરતા નથી અને તેમને વાત કરવાનો અવસર પણ મળતો નથી.
The only way out is for the PM to select five of his most articulate critics and have a televised Q and A session with them.
Let the people listen to the discussion and reach their conclusions on CAA.
I sincerely hope PM will respond favourably to this suggestion.
કોંગ્રેસના નેતાએ કહ્યું કે આ માટેનો ફક્ત એક જ રસ્તો છે કે પીએમ પોતે 5 વિરોધીઓને પસંદ કરે અને તેમની સાથે ટેલિવિઝન સેટ CAA ને લઈને પ્રશ્નો અને જવાબનું સત્ર કરે. લોકોને આ ચર્ચા સંભળાવવામાં આવે અને CAA પર પોતાના નિર્ણય પર પહોંચવા દે. ચિદમ્બરમનું સૂચન એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને શનિવારે સીએએના ભેદભાવ પૂર્ણ અને વિભાજનકારી કાયદો બતાવ્યો છે.
સોનિયા ગાંધીએ કહી આ વાત
સોનિયા ગાંધીનું કહેવું છે કે CAA એવું પાપ છે જેનો હેતુ ધર્મના આધારે લોકોને વિભાજિત કરવાનું છે. તેઓએ ભાર આપ્યો છે કે રાષ્ટ્રિય જનસંખ્યા રજિસ્ટર ફોર્મ અને કંટેટ ગુપ્ત રીતે રાષ્ટ્રીય નાગરિકતા પંજીકરણ એનઆરસીનું રૂપ છે. આ સાથે આજે કોંગ્રેસ અધ્યક્ષે વામ મોર્ચા સહિત પણ વિપક્ષી દળની બેઠક બોલાવી છે.