કોંગ્રેસના સિનિયર નેતા P ચિદમ્બરમે આજે નરેન્દ્ર મોદી અને નિર્મળ સીતારમણને ટેગ કરીને ટ્વીટ કરતા લખ્યું કે તેમની સરકાર કોરોના સંકટ સામેના આ બચવા માટે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે બેરોજગાર થઇ ગયેલા ભૂખ્યા તરસ્યા ગરીબોની સુરક્ષામાં સંપૂર્ણપણે નિષ્ફ્ળ ગઈ છે.
જો આ પગલું નહીં ભરાય તો આ સરકાર નિર્દય સરકાર ગણાશે
શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને સરકાર ઉપર પ્રહારો કરતા P ચિંદમ્બરમે કહ્યું હતું કે વધુ ને વધુ લોકો પાસે પૈસા પુરા થઇ ગયા હોવાથી રાંધેલું ખાવાનું મેળવવાની કતારો લાંબી થતી જાય છે જે સંજોગોમાં સરકારે તાત્કાલિક ધોરણે પૈસા અને મફત અનાજ ગરીબો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની જરૂર છે. જો આ પગલું નહીં ભરાય તો આ સરકાર નિર્દય સરકાર ગણાશે.
There is overwhelming evidence that more and more people have run out of cash and are forced to stand in lines to collect free cooked food. Only a heartless government will stand by and do nothing.
તેમણે માનવતા અને અર્થતંત્રને લગતા બે પ્રશ્નો સરકારને પૂછ્યા છે તેઓ તેમણે ઉલ્લેખ કર્યો હતો. આ પૈકી પ્રથમ પ્રશ્ન હતો કે શા માટે સરકારે ગરીબ પરિવારોના ખાતામાં પૈસા ટ્રાંસફર નથી કર્યા જયારે બીજા પ્રશ્નમાં આરોપ મુકવામાં આવ્યો હતો કે સરકારે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હસ્તક ગોડાઉનોમાં સંગ્રહ કરેલા અનાજના પુરવઠાને ગરીબો સુધી પહોંચાડ્યો નથી.
ચિદમ્બરમે લખ્યું હતું: સરકાર દરેક ગરીબ પરિવારને પૈસા પહોંચાડીને તેમને ભૂખથી બચાવી શકે છે અને તેમના આત્મસન્માનની રક્ષા કરી શકે છે. સરકાર શા માટે આ પગલું નથી ભરતી? શા માટે સરકાર FCI હસ્તકના ગોડાઉનમાં 7.7 કરોડ ટન જેટલા સંગ્રહ થયેલા અનાજમાંથી થોડો હિસ્સો આ ગરીબ પરિવારોને મફતમાં નથી આપી શકતી?
क्यों नहीं FCI के पास पड़े 77 मिलियन टन अनाज का एक छोटा सा हिस्सा उन परिवारों को मुफ्त में वितरित किया जा सकता है, जिन्हें अनाज खिलाने की जरूरत है?
લાખો પરપ્રાંતીય મજૂરો વિવિધ રાજ્યોની બોર્ડર ઉપર અટવાયેલા છે જેઓ પોતાના વતન પાછા ફરવા માંગે છે. આ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક ઘર્ષણો થતા પણ સામે આવી રહ્યા છે. દેશમાં 15000 થી વધુ કોરોનાવાયરસના પોઝિટિવ કેસીસ છે અને 500થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ પરિસ્થિતિમાં ચિદમ્બરમ સરકારની કામગીરીથી અત્યંત નાખુશ છે. 3 મેના રોહ જયારે PM મોદીએ લોકડાઉન લંબાવ્યું હતું ત્યારે તેમણે ટ્વીટર ઉપર લખ્યું હતું કે મારા વ્હાલા દેશને હવે રડવાનો વારો આવ્યો છે.
The poor have been left to fend for themselves for 21+19 days, including practically soliciting food. There is money, there is food, but the government will not release either money or food.
આ ઉપરાંત ચિદમ્બરમનો એવો પણ આક્ષેપ છે કે મોદી સરકાર તેમના અર્થતંત્રના સુધારા માટે RBIના પૂર્વ અધ્યક્ષ રઘુરામ રાજન, નોબલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી, પ્રભાત પટનાયક જેવા તજજ્ઞોની સલાહો માનતા નથી.