કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે અર્થવ્યવસ્થાને લઇને સરકાર પર એકવાર ફરી નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે શનિવારે પોતાના ટ્વિટમાં લખ્યું, ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે માંગ ખરાબ રીતે પ્રભાવિત છે. નાણાકીય વર્ષ 2020-21માં આર્થિક વૃદ્ધિ દર નકારાત્મક રહી શકે છે. ત્યારે શા માટે તેઓ અર્થવ્યવસ્થામાં વધુ મુડી નાંખી રહ્યા છે? તેઓએ સરકારને કહી દેવું જોઇએ કે 'પોતાની ડ્યૂટી કરે તથા નાણાકીય ઉપાય કરે'.
કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણામંત્રીએ અર્થવ્યવસ્થાને લઇને સરકાર પર એકવાર ફરી નિશાન સાધ્યું
પી. ચિદમ્બરમે સરકારે અર્થવ્યવસ્થાને નકારાત્મક વૃદ્ધિદર તરફ ધકેલી દીધી છે
પી. ચિદમ્બરમે ત્યારપછીના ટ્વિટમાં કહ્યું, રિઝર્વ બેન્કના નિવેદન બાદ પણ પીએમઓ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ એક એવા પેકેજ માટે પ્રશંશા કરી રહ્યા છે, જે GDPના એક ટકાથી પણ ઓછુ નાણાકીય પ્રોત્સાહન છે. આરએસએસ (RSS) ને શરમ આવવી જોઇએ કે સરકારે અર્થવ્યવસ્થાને નકારાત્મક વૃદ્ધિદર તરફ ધકેલી દીધી છે.
Governor @DasShaktikanta says demand has collapsed, growth in 2020-21 headed toward negative territory. Why is he then infusing more liquidity?
He should bluntly tell the government ‘Do your duty, take fiscal measures’.
કોરોના વાયરસ સામે જંગ વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે એકવાર ફરી રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી. કેન્દ્રીય બેન્કે રિવર્સ રેપો રેટને ઘટાડીને 4 ટકા કરી દીધો છે. આરબીઆઇ ગવર્નગર શક્તિકાંત દાસે આ દરમિયાન અનુમાન લગાવતા કહ્યું હતું કે 2020-21માં જીડીપી (GDP) વૃદ્ધિદર નેગેટિવમાં જઇ શકે છે.
તેઓએ કહ્યું કે 2020-21માં ગ્રોથ નેગેટિવ રહેવાનું અનુમાન છે. આ ઉપરાંત ચોમાસુ પણ નેગેટિવ રહી શકે છે. જ્યારે દાળની કિંમતમાં વધારો ચિંતાનો વિષય છે. કૃષિ ઉત્પાદનથી સૌને લાભ મળશે.