INX મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને ગુરુવારે મોડી રાત સુધી સવાલો કરવામાં આવ્યા. સીબીઆઈએ ચિદમ્બરમને એફઆઈપીબી મંજૂરી અને એફડીઆઈની સાથે જોડાયેલા સવાલો પૂછ્યા.
INX મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને ગુરુવારની રાત જેલમાં સીબીઆઈની સાથે વીતાવવી પડી હતી. દિલ્લીની રાઉઝ એવન્યૂ કોર્ટની તરફથી તેમને 26 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ગુરુવારે રાતે તેમના માટે ઘરેથી ડિનર અને સાથે કપડાં પણ આવ્યા હતા.
ગુરુવારે સાંજે કોર્ટની કાર્યવાહી બાદ જ્યારે તેમને ફરીથી સીબીઆઈ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા ત્યારે તેમને કેટલાક સવાલ -જવાબ પણ કરવામાં આવ્યા. પી. ચિદમ્બરમને સીબીઆઈના ઓફિસરોએ સવાલ પૂછ્યા. જે ખાસ કરીને FIPB અપ્રૂવલ અને INX મીડિયાને મળેલી એફડીઆઈ સાથે જોડાયેલા સવાલો હતા. પૂછતાછ બાદ તેમને ડિનર આપવામાં આવ્યું. જમ્યા બાદ પી.ચિદમ્બરમ સૂવા ગયા હતા. હવે શુક્રવારે ફરી તેમની પૂછપરછ સીબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા કેસમાં બુધવારે મોડી રાતે પી. ચિદમ્બરમને તેમના ઘરથી ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રાઉઝ એવન્યૂ કોર્ટે ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઈની કસ્ટડીમાં મોકલ્યા હતા. પી. ચિદમ્બરની તરફથી અદાલતમાં કપિલ સિબ્બલ, અભિષેક મનુ સંધવી, વિવેક તન્ખાની દલીલો રાખવામાં આવી. પૂર્વ નાણામંત્રીને તરત જમાનત આપવાની માંગ કરી. વકીલોની તરફથી અનેક પ્રકારના તર્ક આપવામાં આવ્યા અને સીબીઆઈ દ્વારા તેમની ગિરફ્તારીને ખોટી ઠેરવવામાં આવી. સાથે એમ પણ કહેવાયું કે સીબીઆઈની પાસે પી. ચિદમ્બરમની વિરુદ્ધમાં કોઈ યોગ્ય સબૂત નથી.
જો કે કોર્ટમાં વકીલોની આ દલીલ કામમાં આવી નહીં અને સાથે અદાલત દ્વારા પી. ચિદમ્બરમને સીબીઆઈની સાથે મોકલી દેવામાં આવ્યા. આ પહેલાં બુધવારની રાતે જ્યારે તેમને સીબીઆઈ હેડક્વાર્ટર લાવવામાં આવ્યા ત્યારે પણ તેમને કોઈ સવાલ પૂછવામાં આવ્યા ન હતા. ફક્ત મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સીબીઆઈની તરફથી ગુરુવાર સવારે જ પૂર્વ મંત્રીને અનેક સવાલો પૂછવામાં આવ્યા.જેમાં આઈએનએક્સ મીડિયાની વિવાદિત ડિલ એફડીઆઈ સહિત અનેક વાતો હતી.