નાણાંમંત્રી નિર્મલા સીતારમણના નિવેદનને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. 106 દિવસ બાદ જેલમાંથી આવેલા પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમે તેમની પર શાબ્દિક પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે જે સરકાર ઓછી ડુંગળી ખાવાનું કહે છે તેઓએ જતા રહેવું જોઈએ.
ડુંગળીની કિંમતોને લઈને કોંગ્રેસ પાર્ટીનો હલ્લાબોલ
સંસદ પરિસરમાં પી. ચિદમ્બરમે કર્યું પ્રદર્શન
નાણામંત્રી નિર્મલા સીતારમણ પર સાધ્યું નિશાન
ડુંગળીના ભાવને લઇને દેશ ભરમાં હોબાળો મચ્યો છે, પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણ કહે છે કે તે ડુંગળી ખાતા નથી તેથી તેમને વાંધો નથી. નાણામંત્રીના આ નિવેદનથી રાજકીય આક્રોશ ફેલાયો છે અને 106 દિવસ પછી જેલમાંથી બહાર આવેલા પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે તેમના પર હુમલો કર્યો છે. પી.ચિદમ્બરમ કહે છે કે જે સરકાર ઓછી ડુંગળી ખાવાનું કહે છે તેણે દૂર જવું જોઈએ.
Delhi: Congress leaders, including P Chidambaram protest in Parliament premises over onion prices. pic.twitter.com/R7TWn7UMKD
ગુરુવારે સંસદ ભવન પહોંચેલા પી. ચિદમ્બરમે કહ્યું કે જે સરકાર લોકોને ઓછી ડુંગળી ખાવાનું કહે છે તેણે જતાં રહેવું જોઈએ. અર્થવ્યવસ્થાના કિસ્સામાં આ સરકાર સંપૂર્ણ રીતે ફેલ થઈ છે. ઉલ્લેખનીય છે કે INX મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટથી જામીન મળ્યા બાદ પી. ચિદમ્બરમ બુધવારે જ જેલથી બહાર આવ્યા. 106 દિવસ બાદ જેલથી બહાર નીકળેલા પી. ચિદમ્બરમ આજે રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લેશે.
નિર્મલાના નિવેદન પર મચ્યો હોબાળો
ઉલ્લેખનીય છે કે બુધવારે જ લોકસભાની કાર્યવાહી સમયે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેઓએ ડુંગળીને લઈને કમેન્ટ કરી. કોંગ્રેસ નેતાની તરફથી ડુંગળીનો મુદ્દો ઉઠાવવાને લઈને નિર્મલા સીતારમણે જવાબ આપ્યો હતો કે હું એટલા ડુંગળી લસણ ખાતી નથી. હું એવા પરિવારમાંથી આવું છું જે ડુંગળી સાથે મતલબ રાખતા નથી.
Here is the full video of Smt @nsitharaman explaining in detail the steps taken by the govt. to control onion prices and provide relief to the common man. A part of this video clip is being quoted out of context and is misleading. pic.twitter.com/56MLd1gKpU
નિર્મલા સીતારમણના નિવેદનને લઈને મચેલા હોબાળા બાદ તેમની ઓફિસની તરફથી તેમના નિવેદનનો ઓડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંને ગણાવવામાં આવ્યા છે. વીડિયોની સાથે લખવામાં આવ્યું છે કે આ વીજિયોનો એક ભાગ વાયરલ કરવામાં આવ્યો છે જે ખોટો મેસેજ આપી રહ્યો છે.
આ ઘટના બાદ નિર્મલા સીતારમણ વિપક્ષના નિશાન પર છે અને સોશ્યિલ મીડિયા પર પણ લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશના અનેક શહેરોમાં ડુંગળીની કિંમત 100-150 રૂપિયા પ્રતિ કિલોની પહોંચી છે.