આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસનાં કદાવર નેતા પી. ચિદમ્બરમ પર એજન્સીઓનો શકંજો કસાતો જઇ રહ્યો છે. પી. ચિદમ્બરમ 30 ઓગસ્ટ સુધી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની કસ્ટડીમાં છે, જ્યારે બીજી તરફ ઇડી પણ તેની કસ્ટડી માંગે છે. પી.ચિદમ્બરમે પૂછપરછમાં આપેલા જવાબોથી સીબીઆઈ સંતુષ્ટ નથી. ત્યારે આવી સ્થિતિમાં એજન્સી હવે ભૂતપૂર્વ નાણામંત્રીને લાઇ ડિટેક્ટર ટેસ્ટ (એલડીટી)ની અપીલ કરી શકે છે.
સૂત્રોનું માનીએ તો CBI ધરપકડ દરમ્યાન પૂર્વ નાણાંમંત્રીને કરવામાં આવેલી પૂછપરછમાં જવાબોથી સંતુષ્ટ નથી. સીબીઆઇની દલીલ એવી છે કે ચિદમ્બરમે ઇમેઇલ કોમ્યુનિકેશન અને પૈસાની લેણદેણ માટે જે પણ કર્યુ તેના સવાલોનાં યોગ્ય જવાબો આપ્યાં નથી. એજન્સીનાં જણાવ્યાં મુજબ ચિદમ્બરમ અધિકારીઓને એક જ જવાબ આપતા હતાં કે, 'મને યાદ નથી, મને ખબર નથી.'
01.00 PM: પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે, આપ એમ ના કહી શકો કે તેઓ સવાલોથી બચી રહ્યાં છે. જેથી અમે કહી રહ્યાં છીએ કે પૂછપરછની ટ્રાન્સક્રિપ્ટ કોર્ટમાં આપો. શું ઇડી સતત એક જેવાં જ સવાલ વારંવાર પૂછશે. તેઓએ વિદેશી ખાતાઓની જાણકારી પણ માંગી, પરંતુ અમે કહ્યું કે, વિદેશમાં ખાતું નથી. હવે તે વારંવાર તે જ સવાલ પૂછી રહ્યાં છે. જો તેમની પાસે કોઇ પુરાવા છે તો સામે રાખવા જોઇએ.
12.29 PM: કોર્ટમાં પણ પી. ચિદમ્બરમનાં વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, EDનાં દ્વારા કહેવામાં આવ્યું કે, FIPBએ અપ્રૂવલ 2007માં આપ્યું, રેવન્યૂ ડિપાર્ટમેન્ટે 2008માં નોંધ લીધી. FIPBએ બાદમાં 2008માં ક્લીયેરેંસ લીધું, પરંતુ તે પહેલાં કંઇ જ ન હોતું. સિંઘવીએ કહ્યું કે, આ કેસ શરૂઆતથી જ ખોટો ચાલી રહ્યો છે.
કોર્ટમાં સિંઘવીએ કહ્યું કે, FIR અનુસાર કેસ 15 મે 2009નાં રોજ રજિસ્ટર થયો. આ સિવાય PMLA એક્ટ પણ જુલાઇ 2009માં શેડ્યુલ થયો. કોર્ટમાં અભિષેક મનુ સિંઘવી PMLA એક્ટપર ચર્ચા કરી રહ્યાં છે. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, PMLA એક્ટ તો ઓછામાં ઓછાં 30ની લાંચમાં લાગે છે પરંતુ આ મામલામાં તો 10 લાખની લાંચનો આરોપ લાગ્યાં છે. તેમણે કહ્યું કે, જે કાયદો આમાં લગાવવામાં આવ્યો છે તે કથિત ક્રાઇમ હોવાં બાદ બન્યો છે, એવામાં આ ખોટી નીતિ છે.
12.16 PM: પી ચિદમ્બરમ તરફથી કપિલ સિબ્બલે કહ્યું કે, આ પહેલાં જે પણ પૂછુપરછ થઇ છે તેની ટ્રાંસક્રિપ્ટ કોર્ટની સામે રખાવી જોઇએ. આ પહેલાં ડિસેમ્બર 2018, ડિસેમ્બર 2019માં પણ પૂછપરછ થઇ હતી. તેઓએ કોર્ટમાં કહ્યું કે, ED કોર્ટને જણાવે કે, તેઓએ ચિદમ્બરમને દસ્તાવેજોથી કમ્ફ્રંટ કરાવ્યાં નથી. ચિદમ્બરમનાં વકીલે કહ્યું કે, આપ આવા મામલાઓમાં PMLA નિયમો અંતર્ગત તપાસ ના કરી શકે.
12.09 PM: પી.ચિદમ્બરમ વતી, અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જો તમે તપાસમાં સવાલો પૂછતા હો તો આરોપીઓએ શું જવાબ આપ્યો, તે પણ કોર્ટમાં કહેવું પડશે. કેસ ડાયરી જે બતાવવામાં આવી રહી છે તેમાં આ પણ શામેલ હોવું જોઈએ.
સિંઘવીએ કહ્યું કે, જ્યારે ઇમરજન્સી દરમિયાન MISAનાં કેસ થતા હતાં ત્યારે પણ કોર્ટે સીલબંધ પરબિડીયામાં રિપોર્ટની ટીકા કરી હતી. આ દરમિયાન તેઓએ એક કેસ પણ ટાંક્યો હતો. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આનાંથી કોર્ટને જાણ થઈ જશે કે ચિદમ્બરમ તપાસમાં સહયોગ આપી રહ્યાં છે કે નહીં. કારણ કે તપાસ એજન્સીઓ આરોપીની પીઠ પાછળનાં કેટલાંક દસ્તાવેજો કોર્ટમાં સબમિટ કરે છે તેને જ તેઓ પુરાવા બતાવે છે. પરંતુ અમારી ન્યાય પ્રક્રિયામાં, માત્ર આવા દસ્તાવેજો એ પુરાવા ના હોઇ શકે.
12.04 PM: પી.ચિદમ્બરમ સંબંધિત ઇડી કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં શરૂ થઈ છે. સુનાવણી દરમિયાન પી.ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે કેસની ડાયરીને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ ના કરી શકાય. આ સિવાય તેમણે ઇડી દ્વારા કરવામાં આવેલી પૂછપરછની નકલની માંગ પણ કરી છે. કપિલ સિબ્બલ વતી કહેવામાં આવ્યું કે એજન્સી તરફથી અચાનક દસ્તાવેજો લાવવામાં આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન નિર્દેશાલયે પોતાનાં એક સોગંદનામામાં ઘણાં આક્ષેપો લગાવી પી.ચિદમ્બરમની કસ્ટડી માંગી છે. જેમાં વિદેશમાં શેલ કંપનીઓ, બેંક ખાતા અને કેટલાક વ્યવહારો જેવા આક્ષેપો શામેલ છે, જેનાં આધારે પૂછપરછ માટે કસ્ટડી માંગવામાં આવી છે. તે જ સમયે, આ મુદ્દે પી.ચિદમ્બરમ વતી આગોતરા જામીન માટેની અરજી પણ કરવામાં આવી છે.