પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમને આજે સીબીઆઇ રાઉઝ એવેન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં છે. જ્યાં સીબીઆઇ વતી અને ચિદમ્બરમનાં વકીલ વતી દલીલ કરવામાં આવી રહી છે. આ મામલે તમને જણાવી દઇએ કે બુધવારનાં ગઇ કાલનાં રાત્રીનાં નાટકીય અંદાજમાં તેમનાં ઘરેથી સીબીઆઇએ પી. ચિદમ્બરમની ધરપકડ કરી હતી. ત્યારે આજે તેમની સીબીઆઇ હેડક્વાર્ટરમાં અંદાજે 3 કલાક પૂછપરછ પણ કરવામાં આવી હતી.
આઇએનએક્સ મીડિયા કેસ મામલે આખરે CBI સ્પેશિયલ કોર્ટે ચિદમ્બરમનાં 5 દિવસનાં રિમાન્ડની માંગ કરી હતી. ત્યારે આખરે કોર્ટે 5 દિવસનાં રિમાન્ડ મંજૂર કરી દીધાં છે. એટલે કે ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી CBIની ક્સ્ટડીમાં રહેવું પડશે. ચિદમ્બરમને CBI રિમાન્ડ માટે પણ મોકલી દેવામાં આવ્યાં છે.
વિદેશમાં કોઇ જ બેંક ખાતુ નથીઃ ચિદમ્બરમ
કોર્ટે પી. ચિદમ્બરમને બોલવાની મંજૂરી આપી છે. જ્યાર બાદ ચિદમ્બરમે કહ્યું કે, 'મને મારા અને મારા દીકરાનાં બેંક ખાતા વિશે પૂછવામાં આવ્યું છે. ચિદમ્બરમે કહ્યું કે, મારું વિદેશમાં કોઇ જ બેંક ખાતું નથી. દીકરા કાર્તિનાં વિદેશોમાં બેંક ખાતા છે. ચિદમ્બરમે કહ્યું કે, તેઓએ તમામ સવાલોનાં જવાબ આપ્યાં. આ સાથે જ ચિદમ્બરમે કહ્યું કે, તેમની પર લગાવવામાં આવેલ તમામ આરોપો નિરાધાર છે.
આ મામલો પુરાવાઓ સાથે છેડછાડનો નહીંઃ સિંઘવી
સિંઘવીએ સુપ્રીમ કોર્ટનાં નિર્ણયોનો હવાલો આપતા કહ્યું કે,રિમાન્ડ કેટલાંક મામલાઓમાં જ આપવામાં આવે છે. રિમાન્ડ વિશેષ હાલતમાં આપવામાં આવે છે. આ મામલો પુરાવાઓ સાથે છેડછાડનો નથી. સીબીઆઇએ પુરાવાઓની ટેમ્પરિંગ કરવા, મીટાવવાની કોઇ જ વાત નથી કરી.
CBIનો સમગ્ર મામલો ઇન્દ્રાણી મુખર્જીનાં નિવેદન પર આધારિતઃ સિંઘવી
પી.ચિદમ્બરમનાં કેસમાં અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે, સીબીઆઈનો સમગ્ર મામલો ઈન્દ્રાણી મુખર્જીનાં પુરાવા અને કેસ ડાયરી પર આધારિત છે. તેમણે કહ્યું હતું કે, ચિદમ્બરમને ફક્ત મંજૂરી આપવાનાં નિવેદન પર ધરપકડ કરવામાં આવેલ છે. મંજૂરી આપનારનું નિવેદન સ્ટેટસ હોય છે, પુરાવા નહીં.
અમને ખ્યાલ જ છે કે ધરપકડમાં લીધા બાદ તેઓ શું કરશેઃ કપિલ સિબ્બલ
કપિલ સિબ્બલે તપાસ એજન્સીઓ વિશે કહ્યું કે, અમને ખબર છે કે તેઓ કસ્ટડીમાં લીધાં બાદ તેઓ શું કરશે. તેઓ પોતાની વાત અમારા ક્લાયન્ટનાં મોંથી જ કહેવડાવશે. ગઈ રાત્રે પણ તેઓને સૂવા ન હોતા દેવાયાં. તેઓ સવારે 8 વાગ્યાથી પૂછપરછ માટે તૈયાર હતા, પરંતુ સીબીઆઈએ સવારે 11 વાગ્યે પૂછપરછ શરૂ કરી હતી. 12 પ્રશ્નો પૂછવામાં આવ્યાં અને વળતા 6 જવાબો આપવામાં આવ્યાં. પી.ચિદમ્બરમને કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં તે કોર્ટે પૂછવું જોઈએ.
કાર્તિ-રમનની જામીનને CBIએ ક્યારેય ચેલેન્જ નથી કરી
પી. ચિદમ્બરમનાં મામલે કપિલ સિબ્બલે કહ્યું કે, કાર્તિ ચિદમ્બરમને નિયમિત જામીન મળતી રહી છે. ભાસ્કર રમનને આગામી જામીન મળી. આ બંનેને સીબીઆઇએ ક્યારેય ચેલેન્જ નથી કરી. દિલ્હી હાઇકોર્ટે આ બંનેને જામીન આપી રાખી છે. બીજી બાજુ સિબ્બલે જામીન આદેશની નકલ કોર્ટને આપી છે.
પી. ચિદમ્બરમ વતી, સીબીઆઈને કહેવામાં આવ્યું હતું કે, સવારે તેમની ધરપકડ કરવામાં આવે. આજે સવારનાં ચિદમ્બરમને ફક્ત 12 પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં, રાત્રે કોઈ પ્રશ્નો પૂછવામાં આવ્યાં ન હતા. કપિલ સિબ્બલ વતી કહેવામાં આવ્યું હતું કે, જે આરોપો છે તે પી.ચિદમ્બરમ ઉપર નહીં પણ કાર્તિ ચિદમ્બરમ પર હતાં અને કાર્તિ પણ જામીન પર છે. એવામાં પી. ચિદમ્બરમને જામીન આપો. શું સીબીઆઈએ ચિદમ્બરમને અત્યાર સુધીનાં પેમેન્ટને લઇને અંગે કોઈ પ્રશ્નો પૂછ્યાં છે, સીબીઆઈ તેમના પર ખોટું કામ કરવાનો આરોપ લગાવી રહી છે?
INX media case: Solicitor General Tushar Mehta arguing for CBI in Court says have moved an application seeking 5 day custody of P Chidambaram
સીબીઆઈએ કોર્ટમાં કહ્યું, 'ચિદમ્બરમે કોર્ટમાં આ પદનો દુરુપયોગ કર્યો છે. 5 દિવસનાં રિમાન્ડની માંગણી કરી છે. સોલિસીટર જનરલ તુષાર મહેતા સીબીઆઈ વતી અરજી કરી રહ્યાં છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આઈએનએક્સ મીડિયાએ ખોટી રીતે એફડીઆઈ વસૂલી છે, જે એફઆઈપીબીનાં નિયમોનું ઉલ્લંઘન છે. ચિદમ્બરમનાં કારણે આઈએનએક્સ મીડિયાને અયોગ્ય રીતે ફાયદો થયો. ત્યાર બાદ કંપનીએ અન્ય કંપનીઓને પણ પૈસા આપ્યાં છે. કોર્ટમાં સીબીઆઈ તરફથી કહેવામાં આવ્યું કે, કાર્તિ ચિદમ્બરમ સાથે સંકળાયેલી કંપનીઓને લગભગ 5 મિલિયન ડોલર આપવામાં આવ્યાં હતાં. સીબીઆઈ વતી એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પી.ચિદમ્બરમે આ પદનો દુરૂપયોગ કર્યો હતો.
સોલિસિટર જનરલે કહ્યું કે, 'ચિદમ્બરમને કસ્ટડીમાં લીધા વગર તપાસ પૂર્ણ નહીં કરી શકાય. ચિદમ્બરમ અત્યાર સુધી તપાસમાં સહયોગ ન હતાં આપતાં. સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે કપિલ સિબ્બલે કોર્ટમાં ચિદમ્બરમનો પક્ષ રાખવાનો શરૂ કર્યો છે.'
Delhi: P. Chidambaram brought to CBI court for hearing in INX Media Case. He will be produced in court shortly. pic.twitter.com/EXSk8yA69Q
મહત્વનું છે કે આ મામલે પી. ચિદમ્બરમનાં પુત્ર કાર્તિ, તેમનાં વકીલ અભિષેક મનુ સિંઘવી પણ કોર્ટ પહોંચી ગયા છે. તમને વકીલોમાં જણાવીએ તો અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ અને વિવેક તન્ખા હાજર છે. પી. ચિદમ્બરમની પત્ની નલિની ચિદમ્બરમ પણ કોર્ટમાં પહોંચી ગયાં છે. જ્યારે સીબીઆઇ તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતા દલીલ કરી રહ્યાં છે.
સીબીઆઇની ચિદમ્બરમને પૂછપરછ ખતમઃ
સીબીઆઇ દ્વારા પી. ચિદમ્બરમની પૂછપરછ ખતમ થઇ છે. અંદાજે 3 કલાક સુધી આ પૂછપરછ ચાલી. જ્યારે સીબીઆઇનાં ઓફિસર બેઠક પણ કરી રહ્યાં છે. જેમાં તેઓ આગામી રણનીતિ પણ ઘડી રહ્યાં છે.
બુધવારનાં રોજ ગઇ કાલે ચિદમ્બરમની થઇ હતી ધરપકડઃ
મહત્વનું છે કે ગઇ કાલનાં દિલ્હી કોંગ્રેસ કાર્યાલય ખાતે એકાએક ચિદમ્બરમ હાજર થયા બાદ અંદાજે ત્રણ કલાકનાં નાટક બાદ તેમનાં ઘરેથી 1 કલાકની પૂછપરછ બાદ પી ચિદમ્બરમની સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. DCP આનંદ શર્માની ટીમે ચિદમ્બરમની ધરપકડ કરી હતી. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સીબીઆઇ દ્વારા તેમની પૂછપરછ માટે સીબીઆઇનાં મુખ્ય કાર્યાલય પણ લઇ જવાયા હતાં.
મારા પર કોઇ આરોપ નથીઃ ચિદમ્બરમ
ગઇ કાલનાં રોજ ચિદમ્બરમ જ્યારેકોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતાં. ત્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે લૂલો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મને અને મારા દીકરાને રાજકીય ષડયંત્રમાં ફસાવવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, INX મીડિયા કેસમાં મારા પર કોઇ આરોપ નથી, ચિદંબરમે કહ્યું હતું કે, છેલ્લાં 24 કલાકમાં તેમના વિશે હું બહુજ પ્રકાર ભ્રમ ફેલાવાયા છે.
ચિદંબરમે કહ્યું હતું કે, આ મામલે તેમના અને તેમના પરિવાર વિરૂદ્ધ કોઇ ચાર્જશીટ નથી. તેમણે કહ્યું કે, લોકતંત્રની બુનિયાદ આઝાદી છે, ચિદંબરમે કહ્યું હતું કે, જો તેમને જિંદગી અને આઝાદીમાંથી કોઇ પસંદ કરવાનું કહે તો તે આઝાદી પસંદ કરશે.
પૂછપરછમાં ચિદમ્બરમ નથી આપી રહ્યાં સહયોગઃ
આજ સવારથી જ સીબીઆઈએ ફરી ચિદમ્બરમની પૂછપરછ કરી હતી. સીબીઆઈ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, પી. ચિદમ્બરમ પૂછપરછમાં સીબીઆઈને સહયોગ નથી કરી રહ્યાં અને મોટા ભાગનાં સવાલોનાં જવાબ ટાળી રહ્યાં છે. અધિકારોનાં મતે આ તેમની કસ્ટડીનું કારણ બની શકે છે. પૂછપરછ દરમિયાન ચિદમ્બરમે મોટા ભાગના સવાલોનાં જવાબ આપવાનો ઈન્કાર કર્યો છે.
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, તેઓ તેમના દીકરાના બિઝનેસમાં કોઈ પણ પ્રકારની દખલગીરી નથી કરતાં. આ દરમિયાન જ્યારે અધિકારીઓએ ઈન્દ્રાણી અને પીટર મુખરજી સાથેની મુલાકાત વિશે પૂછ્યું તો ચિદમ્બરમે કહ્યું કે, તેમને આવી કોઈ જ મુલાકાત વિશે યાદ નથી.