પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને તિહાર જેલમાંથી મુકત કરવામાં આવ્યા છે. આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમને જામીન આપ્યા છે. જેલની બહાર આવ્યા બાદ સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું અને સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે પત્રકારોએ તેમને પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમણે કહ્યું કે હું આવતી કાલે વાત કરીશ.
પી.ચિદમ્બરમને મળ્યા જામીન
તિહાડ જેલમાંથી આવ્યા બહાર
કાર્તિ ચિદમ્બરમ પિતાને લેવા ગયા
આપને જણાવી દઇએ કે, કાર્તિ ચિદમ્બરમ પિતાને લેવા તિહાડ જેલમાં ગયા હતા. જેલની બહાર કોંગ્રેસ પાર્ટીના સમર્થકોનો મેળો જામ્યો હતો. આ પહેલા જેલની બહાર પત્રકારો સાથે વાત કરતા કાર્તિએ કહ્યું હતું કે મને આનંદ છે કે મારા પિતા આખરે ઘરે આવી રહ્યા છે.
ગુરુવારે સવારે 11 વાગ્યે સંસદની કાર્યવાહીમાં લેશે ભાગ
પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ ગુરુવારે સવારે 11 વાગ્યે સંસદમાં આવશે. પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેઓ મંજૂરી વિના મુસાફરી કરી શકશે નહીં અને જ્યારે જરૂર પડે ત્યારે પૂછપરછ માટે આવવું પડશે. આ સાથે કોર્ટે મીડિયામાં તેમના વતી કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનું પણ બંધ કરી દીધું છે.
Delhi: Congress leader P Chidambaram released from Tihar Jail; Earlier today, Supreme Court granted bail to him in the INX Media money laundering case registered by the Enforcement Directorate. pic.twitter.com/UMd5ic4tER
74 વર્ષીય કોંગ્રેસી નેતા 21 ઓક્ટોબરથી કસ્ટડીમાં હતા. આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં તેમની કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા 16 ઓક્ટોબરે મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ આર ભાનુમથી, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ ઋષિકેશ રાયની ખંડપીઠે પૂર્વ નાણાં મંત્રીના જામીન નામંજૂર કરવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો.