પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. અહીં પી ચિદમ્બરમે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તે INX મીડિયા કેસમાં આરોપી નથી. ચિદમ્બરમે કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી. અહીં તેમની સાથે સીનિયર નેતા ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બ્લ અને અભિષેક મનુ સિંઘવી સહિત ઘણા નેતા હતા. ત્યારબાદ તેઓ પોતાના ઘરે ગયા હતા. જ્યાં તેમની એક કલાક પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી. તેમને હાલ સીબીઆઇ દ્વારા હેડક્વાર્ટર લઇ જવાયા છે.
આવતીકાલે જામીન અર્જી દાખલ કરશે ચિદમ્બરમ
ચિદમ્બરમની ધરપકડ બાદ હવે 24 કલાકની અંદર તેમને સીબીઆઇ કોર્ટમાં રજૂ કરી ચૂકાયા છે. કારણ કે ચિદમ્બરમ રાજ્યસભા સાંસદ છે તેવામાં સાંસદો અને ધારાસભ્યો માટે બનાવવામાં આવેલી રાઉલ એવેન્યૂ સ્પેશિયલ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે. આઇએનએક્સ મામલે અત્યારે પણ રાઉલ એવન્યૂ કોર્ટમાં સ્પેશિયલ જજ અજયકુમાર સાંભળી રહ્યા છે. પી ચિદમ્બરમે હવે નિચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરવી પડશે. ચિદમ્બરમ તરફથી કાલે જ જામીન અરજી દાખલ કરવામાં આવશે.
INX કેસ મામલે ચિદમ્બરમની પૂછપરછ
ચિદમ્બરની ધરપકડ બાદ તેમને હેડક્વાર્ટર લઇ જવાયા છે, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સીબીઆઇ હેડક્વાર્ટર બહાર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ચિદમ્બરમને આવતીકાલે સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ચિદમ્બરમને CBI મુખ્યાલય લવાયા
ચિદમ્બરમને લઇને સીબીઆઇની ટીમ પોતાના હેટક્વાર્ટર પહોંચી ગઇ છે. ચિદમ્બરમને સીબીઆઇ મુખ્યાલયના પાછળના દરવાજેથી અંદર લઇ જવામાં આવ્યા છે. સામાન્ય રીતે આ દરવાજો સીબીઆઇ મુખ્યલયથી બહાર નિકળવા માટે ઉપયોગમાં લેવાય છે, પરંતુ મીડિયાથી બચવા માટે તેમને એક્ઝિટ ગેટથી અંદર લઇ જવાયા છે.
P Chidambaram brought to the Central Bureau of Investigation (CBI) headquarters in Delhi. pic.twitter.com/LLXafy9iOv
1 કલાકની પૂછપરછ બાદ પી ચિદમ્બરમની સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી. DCP આનંદ શર્માની ટીમે ચિદમ્બરમની ધરપકડ કરી છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સીબીઆઇ દ્વારા તેમની પૂછપરછ માટે સીબીઆઇના મુખ્ય કાર્યાલય લઇ જવાયા.
ચિદંબરમના ઘર બહાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ નારેબાજી કરવામાં આવી રહી છે. ત્યારે સીબીઆઇ ચિદમ્બરમના ઘરે તેની પૂછપરછ કરી રહી છે.
ચિદમ્બરમના ઘર બહાર નારેબાજી
ચિદમ્બરમના ઘરની બહાર હંગામો થઇ રહ્યો છે. અહીં કેટલાક લોકો પીએમ નરેન્દ્ર મોદી નારેબાજી કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, અહીં કોંગ્રેસ કાર્યકર્તાઓના કેટલાક લોકોની સાથે ધક્કા મુક્કી કરી. પી ચિદમ્બરમે ખુદને ઘરમાં કેદ કર્યા છે. જ્યારે સીબીઆઇએ પોલીસ બોલાવી છે. જ્યારે બીજી તરફ ચિદમ્બરમના ઘરની બહાર હંગામો થઇ રહ્યો છે. પોલીસની ગાડી ચિદમ્બરમના ઘરની અંદર ગઇ છે. કોંગ્રેસ કાર્યાલયે ખાલી હાથે પાછી ફરેલી સીબીઆઇની ટીમ પી. ચિદમ્બરમના ઘરે પહોંચી છે. અહીં સીબીઆઇની ટીમ પી ચિદમ્બરમના ઘરની દિવાલ કૂદીને ઘરમાં ઘુસી હતી.
ચિદમ્બરમના ઘરે હાઇ વોલ્ટેજ ડ્રામા
પી ચિદમ્બરમના ઘરે હાલ હાઇ વોલ્ટેડ ડ્રામા ચાલી રહ્યો છે. ઇડીની ટીમ ચિદમ્બરમના ઘર બહાર હાજર છે. એમને અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. આ સમયે સીબીઆઇની ત્રણ ટીમ અને ઇડીની એક ટીમ ચિદમ્બરમના ઘરે હાજર છે. પોલીસની ગાડી ચિદમ્બરમના ઘરની અંદર ગઇ છે. કોંગ્રેસ કાર્યાલયે ખાલી હાથે પાછી ફરેલી સીબીઆઇની ટીમ પી. ચિદમ્બરમના ઘરે પહોંચી છે. અહીં સીબીઆઇની ટીમ પી ચિદમ્બરમના ઘરની દિવાલ કૂદીને ઘરમાં ઘુસી.
ચિદમ્બરમના ઘરે CBI ટીમ
સીબીઆઇની ટીમ હવે દિલ્હીના જોરબાગ સ્થિત પી ચિદમ્બરમના ઘર તરફ રવાના થઇ હતી. કોંગ્રેસ કાર્યાલય પહોંચી સીબીઆઇ ટીમે ત્યાંથી ખાલી હાથે પાછુ ફરવું પડ્યું. કેમકે પી ચિદમ્બરમ એટલામાં પ્રેસ કોન્ફરન્સ કરી નીકળી ચૂક્યા હતા.
Delhi: Police and ED team outside the residence of Congress leader P Chidambaram at Jor Bagh in Delhi. pic.twitter.com/lCWIQcAw0Y
પી ચિદમ્બરમ છેલ્લા 24 કલાકથી ગાયબ હતા. આપને જણાવી દઇએ કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી.ચિદંબરમ ગઇકાલ મોડી સાંજથી ગાયબ થયાં હતા. જ્યારે CBIના અધિકારીઓ તેમના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને ધરપકડ કરવા પહોંચ્યા હતા. જો કે, ચિદમ્બરમ ઘરે હાજર નહીં હોવાથી CBIની ટીમ પરત ફરી હતી.
CBI ની ટીમ પહોંચી કોંગ્રેસ કાર્યાલય
ઉલ્લેખનીય છે કે, 28 કલાકને અંતે કોંગ્રેસ કાર્યાલય પહોંચેલા પી. ચિદમ્બરે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જો કે, તેમના આગમન અંગેના સમાચાર પ્રાપ્ત થતાં જ CBI અને EDની ટીમ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી હતી. લુકઆઉટ નોટિસ જાહેર કરી હોવાથી ગમે ત્યારે પી ચિદમ્બરમની ધરપકડ થઇ શકે છે.
મારા પર કોઇ આરોપ નથીઃ ચિદંબરમ
24 કલાકથી ગાયબ ચિદંબરમ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. બાદમાં તેમણે અહીં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે લૂલો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મને અને મારા દીકરાને રાજકીય ષડયંત્રમાં ફસાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, INX મીડિયા કેસમાં મારા પર કોઇ આરોપ નથી, ચિદંબરમે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં તેમના વિશે હું બહુજ પ્રકાર ભ્રમ ફેલાવાયા છે.
ચિદંબરમે કહ્યું કે, આ મામલે તેમના અને તેમના પરિવાર વિરૂદ્ધ કોઇ ચાર્જશીટ નથી. તેમણે કહ્યું કે, લોકતંત્રની બુનિયાદ આઝાદી છે, ચિદંબરમે કહ્યું કે, જો તેમને જિંદગી અને આઝાદીમાંથી કોઇ પસંદ કરવાનું કહે તો તે આઝાદી પસંદ કરશે.
ગઇકાલ સાંજથી મોબાઇલ હતો સ્વીચ ઓફ
સૂત્રો અનુસાર, ગઇ કાલનાં સાંજથી ચિદંબરમ ગાયબ છે. ગાયબ થતા પહેલા તેઓએ પોતાનાં ડ્રાઇવર અને ક્લાર્કને રસ્તા વચ્ચે જ ઉતારી દીધાં હતાં. ત્યારબાદ પોતાનો મોબાઇલ સ્વીચ ઑફ કરી લીધો, જે હજી સુધી ચાલુ નથી કરવામાં આવ્યો.
રાહુલ ગાંધી આવ્યા બચાવમાં
ચિદમ્બરમ પર સીબીઆઇ અને ઇડીના એક્શનથી કોંગ્રેસે મોદી સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર મોદી સરકાર વિરુદ્ધ હુમલો કર્યો. રાહુલે લખ્યું, ' મોદી સરકાર ઇડી, સીબીઆઇ અને મીડિયાના એક સમૂહનો ઉપયોગ ચિદમ્બરમના ચરિત્ર હનન માટે કરી રહી છે. હું સત્તાના આ દુરપયોગની નિંદા કરું છું.'