જમ્મૂ-કાશ્મીરમાં મહેબુબા મુફતી અને ઉમર અબ્દુલ્લાને નજરબંધ કરવાને લઇને કોંગ્રેસે નિંદા કરી છે. પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે કહ્યું છેકે જમ્મૂ-કાશ્મીરને લઇને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઇને મે અગાઉથી ચેતવણી આપી હતી. આમ ચિદમ્બરમે કાશ્મીર નેતાઓની નજરબંધી પર કહ્યું કે મે પહેલાથી જ ચેતવણી આપી હતી.
ચિદમ્બરમે કહ્યું કે તેમણે જમ્મૂ-કાશ્મીરને લઇને કેન્દ્ર દ્વારા દુઃસાહસપૂર્ણ કાર્યવાહીને લઇને પહેલાથી જ ચેતવણી આપી હતી, લાગે છે સરકાર હવે આવુ કરવા અડી ગઇ છે. ચિદમ્બરમે કહ્યું કે કાશ્મીર નેતાઓને નજરબંધ કરવું એ લોકશાહીનો અવાજ દબાવવા જેવું છે.
ચિદમ્બરમે જણાવ્યું કે જમ્મૂ-કાશ્મીરના નેતાઓને તેમના ઘરમાં નજરબંધ કરવા પાછળનો સંકેત એ છે કે સરકાર પોતાનો હેતુ પ્રાપ્ત કરવા લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોને દબાવી રહી છે. ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાને અડધી રાતે નજરકેદ કરવામાં આવ્યાં છે.
I had warned of a misadventure in J&K. It seems the government is determined to embark upon one.