કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે આરોપ લગાવ્યો છે કે સરકાર તેમના નિવાસ સ્થાને આયકર વિભાગના દરોડા પાડવાની તૈયારી કરી રહી છે. જેના કારણે લોકસભા ચૂંટણી અભિયાનમાં અવરોધ ઉભો થાય.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નજીકના લોકોના ઠેકાણા પર આયકર વિભાગના દરોડા બાદ દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે આરોપ લગાવ્યો છે કે સરકાર તેમના નિવાસ સ્થાને આયકર વિભાગના દરોડા પાડવાની તૈયારી કરી રહી છે. જેના કારણે લોકસભા ચૂંટણી અભિયાનમાં અવરોધ ઉભો થાય. રવિવારે પૂર્વ નાણાંપ્રધાન ચિદમ્બરમે કહ્યું કે આ દેશના લોકો જોઇ રહ્યાં છે અને ચૂંટણીમાં તેનો જવાબ આપશે.
ચિદમ્બરમે ટવિટના માધ્યમથી જણાવ્યું કે મારા સૂત્રોને મળતી જાણકારી મુજબ આયકર વિભાગ મારા શિવગંગા મતવિસ્તાર અને ચેન્નાઇમાં સ્થિત મારા નિવાસ સ્થાન પર દરોડા પાડવાની તૈયારી કરી રહી છે. અમે તપાસ કરનારાઓનું સ્વાગત કરીશું. આઇટી વિભાગને ખબર છે કે અમારા પાસે સંતાડવા માટે કાંઇ નતી. આ અગાઉ અન્ય એજન્સીઓએ અમારા ઘરમાં તપાસ કરી પરંતુ કાંઇ મળ્યું નહીં. તેમનો હેતુ છે કે અમારા ચૂંટણી અભિયાનને કમજોર બનાવવું.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમે કહ્યું કે લોકો સરકારની આ કામગીરીને જોઇ રહ્યાં છે અને ચૂંટણીમાં તેનો સચોટ જવાબ આપશે. પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ તામિલનાડૂની શિવગંગા લોકસભા બેઠકના ઉમેદવાર છે. કાર્તિ ચિદમ્બરમ આ સમયે એરલેસ-મેક્સિસ મામલે ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહ્યાં છે અને તેઓ હાલમાં જામિન પર બહાર છે.
સીબીઆઇની વિશેષ કોર્ટમાં દાખલ કરાયેલા ચાર્જશીટ અનુસાર મેક્સિસની સહાયક કંપની ગ્લોબલ કમ્યૂનિકેશન સર્વિસેસ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા એરલેસમાં 800 મિલિયન ડોલરના રોકાણ માટે મંજૂરી માગી હતી.