નાગરિકતા કાયદાના વિરોધમાં આસામ સળગી રહ્યું છે. કેટલાક અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં પણ આ કાયદા વિરૂદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. મધ્યપ્રદેશ અને કેરળ સહિત કેટલાક રાજ્યોમાં આ કાયદાઓને બંધારણીય વિરોધ ગણાવતા રાજ્યમાં લાગૂ કરવાની મનાઇ કરી દીધી છે. પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમે CAB મુદ્દે એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે મોદી સરકારને કેટલાક મુદ્દે ઘેરી હતી.
ગત બે મહિનામાં કેન્દ્ર સરકાર જે પણ કાયદા લાવી તે કોર્ટમાં ફંસાયા
CAB પણ ગેરબંધારણીય છે, એટલા માટે આ પણ સુપ્રીમ કોર્ટમાં રદ્દ થઇ જશે
CABને કોણ બંધારણીય બતાવી રહ્યું છે?
પી ચિદંબરમે સવાલ કર્યો કે સરકારનું કહેવું છે કે નાગરિકતા કાયદાના નામે વિપક્ષ લોકોના મનમાં ડર ફેલાવી રહ્યું છે કે દેશ હિન્દુ રાષ્ટ્રની દિશામાં આગળ વધી રહ્યો છે. બિલ સમગ્ર રીતે બંધારણીય છે અને ખોટી રીતે મુસ્લિમ વિરોધી કહેવામાં આવી રહ્યું છે. આ સવાલ પર નાણામંત્રીએ કહ્યું કે કોણ આ કાયદાને બંધારણીય ગણાવી રહ્યા છે? છેલ્લા બે મહિનામાં કેન્દ્ર સરકારે જે પણ કાયદા બનાવ્યા છે તે કોર્ટમાં ફંસાયા છે. આ બિલમાં ઘણી વિસંગતતા છે. બિલ સમગ્ર રીતે ગેરબંધારણીય છે. એટલા માટે આ કાયદો પણ સુપ્રીમ કોર્ટમાં તૂટી જશે. આ માત્રે હું નથી કહી રહ્યો. સોલી સોરાબજી, રિટાયર્ડ જસ્ટિસ મદન બી લોકુર અને સંતોષ હેગડે પણ એવું કહી રહ્યા છે.
મોદી સરકાર પર પ્રહાર કરતા ચિદંબરમે કહ્યું કે આ કાયદો લાવવાની સલાહ કોણે આપી? સરકાર પર અસફળ રહેવાનો આરોપ લગાવતા ચિદંબરમે કહ્યું કે મોદી સરકાર જ્યારે પણ પોતાની નીતિઓમાં નિષ્ફળ દેખાવા લાગે છે તો તે જૂના મુદ્દાઓ પર વાત કરવા લાગે છે. આ બિલનું 'મજનૂ કા ટીલા' સાથે કોઇ લેવાદેવા નથી. કોણ પણ નિર્ણય ઉતાવળમાં ન લે. લોકો સાથે વાત કરો.
નાગરિકતા કાયદાનો ઉદ્દેશ્ય માત્ર મુસ્લિમોને બહાર રાખવાનો
ત્યારે કેન્દ્ર સરકાર પર હિન્દુ રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને કામ કરવાનો આરોપ લગાવતા પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે હિન્દુત્વ મોદી સરકારના એજન્ડામાં સામેલ છે. નાગરિકતા કાયદાને લાગૂ કરવાનો મતલબ માત્ર મુસ્લિમોને બહાર રાખવાનો છે. પલાયનને રોકી ન શકાય. પહેલા તમામ દેશ એક સાથે હતા એટલા માટે લોકો પૈસા મેળવવા માટે ભારતમાં આવે છે.
ચિદંબરમે કહ્યું કે માની લો કે સરકરાર એનઆરસી અને નાગરિકતા સંશોધન કાયદો લાગૂ કરે છે પરંતુ ત્યાર બાદ જે લોકો બચશે તેનું શું થશે? સરકાર તેની સાથે શું કરવા જઇ રહી છે? આ વિશે સરકાર તરફથી અત્યાર સુધી કોઇ જવાબ નથી આવ્યો.
જે લોકો આમાં નહીં આવે તેનું શું?
માની લો તમે તેની પાસેથી મત આપવાનો હક છીનવી લો છો તો શું તમે તેની પાસેથી કામ કરવાનો અધિકાર પણ છીનવી લેશે? શું તમે તેના જીવવાનો અધિકાર છીનવી લેશો? આ માનવાધિકાર છે જેને છીનવી ન શકાય. તેમણે કહ્યું કે આ કાયદામાં કેટલાક ફેરફારથી કંઇ બદલવાનું નથી. આ પ્રયત્નો માત્ર રાજકીય હોબાળા માટે છે જેનાથી લોકોનું ધ્યાન દેશની નબળી અર્થવ્યવસ્થાથી હટાવી શકાય.
2008થી 2019ની સરખામણી યોગ્ય નથી
વર્ષ 2008 અને હાલની અર્થવ્યવસ્થાની સરખામણી પર ચિદંબરમે કહ્યું કે વર્ષ દર વર્ષની સરખામણી કરવી યોગ્ય નથી. તમને ત્યારની પરિસ્થિતિ અને હાલની સ્થિતિ પર ધ્યાન આપવું પડશે. 2008માં વિશ્વ મંદીનો સમય ચાલી રહ્યો હતો.
હાલની પરિસ્થિતિ પર તેમણે કહ્યું કે સરકાર એ સમજી નથી શકતી કે માત્ર માર્કેટને બુસ્ટ કરવું સોલ્યૂશન નથી કે બજારમાં ડિમાન્ડ ઘટી છે. એટલા માટે સરકારે લોકોની ખરીદી શક્તિ વધારવા પર વિચાર કરવો જોઇએ.
નિર્મલા સીતારમણ હોત તો શું કર્યું હોત?
તેમને પૂછવામાં આવ્યું કે જો તમે નિર્મલા સીતારમણ હોત તો શું કરત? જેના જવાબમાં તેમણે કહ્યું કે, સૌથી પહેલા રાજીનામું આપી દેત. કારણ કે સરકારમાં રહેવાના નાતે જો મારી નીતિઓનો ફાયદો નથી થઇ રહ્યો તો પછી જવાબદારી લેતા પદ છોડી દેવું જોઇએ.