INX મીડિયા કેસમાં ચિદમ્બરમના સરેન્ડરને લઈને આજે લેવાશે નિર્ણય. ઈડીએ કોર્ટને જણાવ્યું કે તેઓ હાલમાં ચિદમ્બરમની ધરપકડ કરવા ઈચ્છતી નથી. EDએ ચિદમ્બરમની સરેન્ડર અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે ચિદમ્બરમ હાલમાં જેલમાં છે આ માટે તે પૂરાવા અને સાક્ષીને પ્રભાવિત કરવાની સ્થિતિમાં નથી.
ચિદમ્બરમની સરેન્ડર અરજી પર આજે થશે સુનાવણી
EDએ કહ્યું હાલમાં નથી ઈચ્છતા ધરપકડ
ED ઈચ્છે છે તેઓ જેલમાં જ રહે, પહેલાં ધરપકડ ઈચ્છતા હતા તો હવે કેમ નહીંઃ કપિલ સિબ્બલ
જેલમાં ચિદમ્બરમ અને પૂરાવાઓ સાથે છેડછાડની શંકા નથી, ધરપકડ પહેલાં અન્ય 6 લોકો સાથે ઈચ્છે છે પૂછપરછ:ED
આજે નિર્ણય આપશે કોર્ટ
આઈએનએક્સ મીડિયા મની લોન્ડ્રિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ પી. ચિદમ્બરમની સરેન્ડર અરજી પર આજે એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ કોર્ટ પોતાનો નિર્ણય આપશે. કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમને ઈડીની સામે સરેન્ડર કરવા માટે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં અરજી કરી હતી. ગુરુવારે કોર્ટમાં તેની પર સુનાવણી થઈ અને આજે કોર્ટ નિર્ણય આપશે.
હજુ 6 લોકોની કરશે પૂછપરછઃ ઈડી
સુનાવણી સમયે ઈડીએ કોર્ટને જણાવ્યું કે હાલમાં તે ચિદમ્બરમની ધરપકડ કરવા ઈચ્છતી નથી. સરેન્ડર અરજીનો વિરોધ કરતાં તેઓએ કહ્યું કે હાલમાં તેઓ જેલમાં છે આ કારણે પૂરાવાઓ અને સાક્ષીઓ સાથે છેડછાડ કરી શકશે નહીં. તેઓએ કહ્યું કે તેઓ હજુ પણ 6 લોકોની પૂછપરછ કરવા ઈચ્છે છે. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેઓ ચિદમ્બરમની ધરપકડ કરશે. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે વાતનો વિરોધ કર્યો અને કહ્યું કે ઈડી મારા કેદીને હેરાન કરી રહ્યા છે.
આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમની ધરપકડ જરૂરી છે પણ તેનના માટે યોગ્ય સમય નક્કી કરાયો નથી. હાલમાં ચિદમ્બરમ ન્યાયિક કસ્ટડીમાં છે અને સીબીઆઈ તપાસ કરી રહી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે શુક્રવારે નિર્ણય આપવા જણાવ્યું હતું.
પૂરાવાઓ સાથે છેડછાડની આશંકા નથીઃ સોલિસિટર જનરલ
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને કહ્યું કે ભ્રષ્ટાચારને લઈને સીબીઆઈ દ્રારા નોંધાયેલા કેસમાં ચિદમ્બરમ પહેલાંથી ન્યાયિક કસ્ટડીમાં છે. ઈડી તપાસના નામે તેમના ક્લાયન્ટને હેરાન કરી રહી છે તેમ કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું છે. સિબ્બલે કહ્યું કે ઈડીની ટામ 20 અને 21 ઓગસ્ટે ચિદમ્બરમની ધરપકડ કરવા તેમના નિવાસ સ્થાને ગઈ હતી. પણ હવે તેઓ ઈચ્છતા નથી કે તેમને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ.
ચિદમ્બરમ પહેલાં 6 અન્ય લોકોની પૂછપરછ ઇચ્છે છે ઈડીઃ સોલિસિટર જનરલ
સુનાવણી સમયે મહેતાએ દલીલ કરી કે ચિદમ્બરમની પૂછપરછમાં દરેક પાસાંને જાણવા જરૂરી છે. તેઓએ કહ્યું કે કસ્ટડીમાં ચિદમ્બરમની પૂછપરછ સિવાય અન્ય 6 લોકોની પૂછપરછ ઈડી કરવા ઈચ્છે છે. આ એ મની લોન્ડ્રિંગ કેસ છે જે દેશની બહાર પણ ફેલાયો છે. હાલમાં ચિદમ્બરમ જેલમાં હોવાથી પૂરાવાઓ અને સાક્ષીઓ સાથે છેડછાડની પણ કોઈ શક્યતા નથી. અમે તેમને યોગ્ય સમયે ધરપકડ કરીશું. કારણકે ત્યારબાદ ઈડી પાસે પૂછપરછ કરવા માટે પક્ત 15 દિવસનો જ સમય રહેશે.
હાલમાં ગિરફ્તારી નથી ઈચ્છતી ED
મહેતા અને વકીલ નીતેશ રાણાએ કહ્યું હાલમાં અમે તેમની ધરપકડ ઈચ્છતા નથી. યોગ્ય સમય આવશે ત્યારે અમે કોર્ટને જણાવીશું. અમે 15 દિવસનો સૌથી વધુ ઉપયોગ કરવા ઈચ્છીએ છીએ. મહેતાએ કહ્યું કે 21 ઓગસ્ટ પહેલાં માનવામાં આવતું હતું કે તેમની ધરપકડ કરવાની જરૂર છે અને આજે પણ એવું જ છે. તેઓએ કહ્યું કે ચિદમ્બરમની ધરપકડ પછી તેઓએ સાક્ષીઓનો સામનો કરવાનો રહેશે.