કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે વડાપ્રધાન મોદીના ભાષણની પ્રશંસા કરી છે જે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર કરી હતી. ચિદમ્બરમે ટ્વિટ કરી કહ્યું કે સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાનની ત્રણ જાહેરાતનું સૌ કોઇએ સ્વાગત કરવું જોઇએ.
જેમા નાનો પરિવાર, દેશભક્તિનું કર્તવ્ય, વેલ્થ ક્રિએટર્સનું સન્માન અને પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક. સામાન્યપણે પી. ચિદમ્બરમે પીએમ મોદી અને તેમની સરકારની ટીકા કરવા માટે જાણિતા છે. પરંતુ હવે તેમનું પીએમ મોદીના ભાષણની પ્રશંસા કરવી ઘણા લોકોને હેરાન કરી રહી છે. આર્થિક નીતિના મુદ્દા પર પી.ચિદમ્બરમ સંસદથી લઇને સમાચારો સુધી મોદી સરકારની કડક ટીકા કરે છે.
All of us must welcome three announcements made by the PM on I-Day
> Small family is a patriotic duty
> Respect wealth creators
> Shun single-use plastic
જોકે, આ ટ્વવિટની સાથે એમણે લખ્યું છે કે આશા રાખીએ છીએ કે નાણામંત્રી, તેમના ટેક્સ અધિકારીઓની ટીમ અને તપાસકર્તા પીએમ મોદીનો સંદેશ સ્પષ્ટ સાંભળ્યો હશે. અહીં પી. ચિદમ્બરમ 'વેલ્થ ક્રિએટર્સના સન્માન' વાળી વાત તરફ ઇશારો કરી રહ્યા હતા.
Of the three exhortations, I hope the FM and her legion of tax officials and investigators heard the PM's second exhortation loud and clear