ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપ નેતાએ કેજરીવાલને યુપી અને એમપીથી શીખવા માટે સલાહ આપી છે.
ભારતમાં કોરોના વાયરસની ઘાતક લહેર
ઘણા બધા રાજ્યોમાં ઑક્સીજન માટે પડાપડી
કેજરીવાલે કેન્દ્ર પાસે માંગ્યું ઑક્સીજન તો ભાજપે સાધ્યું નિશાન
ભારતમાં કોરોના વાયરસની લહેર બની કહેર
ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળી રહ્યો છે અને જુદા જુદા શહેરોથી ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે. હોસ્પિટલોમાં સુવિધાના અભાવે લોકો મરી રહ્યા છે અને પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અત્યારે સ્મશાનોમાં પણ લાંબુ વેઇટિંગ છે ત્યારે રાજકારણીઑ આ મહામારીમાં પણ રાજકારણ કરવાનું ભૂલતા નથી. ઑક્સીજન મુદ્દે રાજ્યો અને કેન્દ્ર સરકાર સામસામે છે.
ઑક્સીજન માટે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે તકરાર
દિલ્હી સરકાર દ્વારા સતત ઑક્સીજનની અછતનો મુદ્દે કેન્દ્ર સરકાર સામે ઊભો કરવામાં આવી રહ્યો છે તથા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને ઑક્સીજન પૂરું પાડવા માટે નિવેદન કર્યું હતું. દેશભરમાં ઑક્સીજનની અછતના કેસ સામે આવી રહ્યા છે ત્યારે ભાજપના IT ડિપાર્ટનમેન્ટના નેશનલ ઈન્ચાર્જ અમિલ માલવિયે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કોઈ કેજરીવાલ અને તેના મંત્રીઓને યાદ અપાવો કે હોસ્પિટલોમાં ઓક્સિન આપવાની જવાબદારી તેમની છે. કેજરીવાલે પરિસ્થિતિ કઈ રીતે સંભાળવી તે શીખવું હોય તો આસામ, એમપી, યુપીના મુખ્યમંત્રીથી શીખવું જોઈએ. સતત ટ્વિટ કરવા તથા ટીવી પર એડ આપવાથી સરકાર ના ચાલે.
શું કહ્યું હતું કેજરીવાલે?
નોંધનીય છે કે દેશના કેપિટલમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે દિલ્હીમાં મેડિકલ ઑક્સીજન પૂરૂ પાડવામાં આવે. તેમણે કહ્યું હતું કે આગામી કલાકોમાં હોસ્પિટલોમાં ઑક્સીજન ખતમ થઈ જશે. આ સિવાય દિલ્હીના ઉપ મુખ્યમંત્રી સિસોદિયાએ કહ્યું હતું કે જૉ સ્ટોક ભરવામાં આવશે નહીં તો દિલ્હીમાં અફરા તફરી જેવી સ્થિતિ બની જશે કારણે કે દિલ્હીમાં ICUના બેડ ખૂબ તેજીથી ભરાઈ રહ્યા છે. દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું હતું કે દિલ્હીમાં ઑક્સીજન એક મોટું સંકટ બની રહ્યું છે અને હું કેન્દ્ર સરકારને આગ્રહ કરું છું કે દિલ્હીને જલ્દી કોરોના વેક્સિન આપવામાં આવે. તેમણે કહ્યું હતું કે હું કેન્દ્ર સરકારને હાથ જોડીને અપીલ કરું છું કે દિલ્હીને તરત જ ઑક્સીજનની આપૂર્તિ કરવામાં આવે.
કોરોના વાયરસ કેસ અપડેટ :
ભારતમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 2 લાખ 95 હજાર 41 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 2023 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે જ ભારતમાં એક દિવસમાં 1,67,457 લોકોએ કોરોના વાયરસને હરાવ્યો પણ છે અને સાજા થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં 13 કરોડથી વધારે લોકોને કોરોના વાયરસની રસી આપી દેવામાં આવી છે.