ગોવા સ્થિત બોમ્બે હાઈકોર્ટે થોડા સમય પહેલા જ સરકારને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું કે રાજ્યમાં ઓક્સિજનની કમીથી હવે વધુ મોત ન થાય
હાલમાં દરેક રાજ્યમાં ઓક્સિજનની અછતના મામલા સામે આવી રહ્યા છે
CM વિરૂદ્ધ દાખલ થઈ ફરિયાદ
ત્રણ દિવસની અંદર ઓક્સિજન સંકટના કારણે 74 લોકોના જીવ ગયા
દેશભરમાં પાછલા એક મહિનાથી ચાલતા કોરોનાવાયરસના કહેર વચ્ચે રાજ્યોમાં ઓક્સિજનનું સંકટ પણ ખૂબ મોટુ છે. પાછલા અમુક દિવસોમાં ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી સુધીમાં ઓક્સિજનની અછતથી દર્દીઓના મોતના મામલા સામે આવી રહ્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર આપૂર્તિને લઈને ગંભીર નથી. ઓક્સિજનની અછત હાલ ગોવામાં ખૂબ વર્તાઈ રહી છે. અહીં રાજ્યની સૌથી મોટી કોરોના ફેસિલિટીમાં ત્રણ દિવસની અંદર ઓક્સિજન સંકટથી 74 લોકોના જીવ જતા રહ્યા છે.
ઓક્સિજન પ્રેશર ઓછુ થઈ જવાના કારણે 26 દર્દીઓના મોત
આ ચોંકાવનારો મામલો એટલે કહી શકાય કે, ત્રણ દિવસ પહેલા ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં રાત્રે ઓક્સિજન પ્રેશર ઓછું થઈ જવાના કારણે 26 દર્દીઓના મોત થઈ ગયા હતા. ત્યાર બાદ ગોવા સ્થિત બોમ્બે હાઈકોર્ટે સરકાર પાસે એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું કે રાજ્યમાં ઓક્સિજનની કમીથી હવે વધારે મોત ન થવા જોઈએ. જોકે તેમ છતાં GMCHમાં કમી પેદા થવાના કારણે બુધવારે 20 ગુરુવારે 15 અને શુક્રવારે સવાર સુધી વધુ 13 દર્દીઓના મોત થઈ ગયા.
આ વચ્ચે ગોવા ફોરવર્ડ પાર્ટીએ જીએમસીએચમાં ઓક્સિજનનો સપ્લાય ઓછો હોવાના કારણે થયેલા મોત માટે ગોવાના સીએમ પ્રમોદ સાવંત અને મુખ્ય સચિવ પરિમલ રાયની સાથે નોડલ અફિસર પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આખી રાત ઓક્સિજન પ્રેશર ઘટવાને લઈને ફોન કરવામાં આવ્યા
જણાવવામાં આવ્યુ છે કે ડોક્ટર અને દાખલ દર્દીઓના સંબંધીઓ આખી રાત ઓક્સિજન પ્રેશર ઘટવાના કારણે ફોન કરી રહ્યા હતા. હાઈકોર્ટમાં 26 લોકોના મોતને લઈને પીઆઈએલ દાખલ કરનાર એક ફરિયાદીએ જણાવ્યું કે રાત્રે તેમણે હોસ્પિટલને લઈને ઈમરજન્સી ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ મુદ્દા પર તેમણે તરત જ સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને ફોન કર્યો અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. જોકે ડોક્ટરનું કહેવું છે કે હોસ્પિટલમાં ઓક્સિજન પ્રેશર 20 મિનિટ બાદ જ સરખુ કરવામાં આવ્યું. જ્યારે 15 મિનિટ પણ દર્દીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે.
રાત્રે 1 વાગ્યે ઓછુ થયું એક્સિજન પ્રેશર
GMCHના એક રેઝીડેન્ટ ડોક્ટરે જણાવ્યું કે હોસ્પિટલની સેન્ટ્રલ પાઈપલાઈનમાં પ્રેશર લગભગ 1 વાગ્યે ઓછુ થવાનું શરૂ થઈ ગયું. પ્રયત્નો કર્યા હોવા છતાં ત્રણ દર્દીઓના મોત થઈ ગયા. ડોક્ટરના જણાવ્યા અનુસાર, આ સમયે ઘણા દર્દીઓના પરિજન તેમને મદદ માટે બોલાવી રહ્યા હતા. લોકોનું કહેવું છે કે દર્દીઓ શ્વાસ માટે તડપી રહ્યા છે અને તેમનું ઓક્સિજન સૈચુરેશન લેવલ 40-50 સુધી પહોંચી ગયું. ડોક્ટરે જણાવ્યું કે બુધવાર-ગુરૂવારની રાત્રની વચ્ચે ઓક્સિજનનું પ્રેશર લગભગ પાંચથી છ વખત ઓછુ થઈ ગયું.