ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે અહીં એક દિવસમાં 94 હજાર 409 કેસ આવ્યા છે અને સાથે જ એક દિવસમાં દેશમાં કોરોનાથી 1 હજાર 111ના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં આ સંક્રમણ વ્યાપક બની રહ્યું છે આ સમયે સરકારી ઓફિસરોની સાથે જ હોસ્પિટલોએ પણ ઓક્સીજનની અછતનો મુદ્દો ઉઠાવ્યો છે. તેના કારણે કોરોનાની સારવારમાં મુશ્કેલી આવી રહી છે.
ભારતમાં સતત વધ્યું કોરોના સંક્રમણ
કોરોનાની ટ્રીટમેન્ટમાં ઓક્સીજન સપ્લાયની અછત
કોરોનાથી એક દિવસમાં 1,111 દર્દીના થયા મોત
કોરોનાના વધતા કેસની સાથે જ ભારતમાં કેટલાક ભાગમાં હવે ઓક્સીજનના સપ્લાયમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સરકાર અને હોસ્પિટલ સાથે જોડાયેલા ઓફિસરોનું કહેવું છે કે જેમ જેમ દેશમાં કેસની સંખ્યા વધી રહી છે તેમ તેમ કેટલીક જગ્યાઓએ ઓક્સીજન પહોંચાડવામાં ઘટાડો આવી રહ્યો છે. ભારતમાં અત્યારસુધીમાં કોરોના કેસની સંખ્યા 47 લાખથી વધુ પહોંચી છે. આ સાથે જ અત્યાર સુધીમાં 77 હજાર દર્દીઓના મોત પણ થયા છે.
મહારાષ્ટ્ર છે સૌથી પ્રભાવિત
કોરોનાની સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. અહીં 10 લાખ 37 હજારથી વધુ કેસ આવ્યા છે. કુલ મોતના 36 ટકા મોત અહીં થયા છે. મુંબઈની સ્થિતિ પણ ખરાબ છે. અહીંના વિસ્તારોમાં ઓક્સીજનનો સપ્લાય યોગ્ય રીતે ન મળવાના કારણે મુશ્કેલી આવી રહી છે.
મળતી માહિતી અનુસાર ઓક્સીજનના ફિલિંગ સ્ટેશનોને જ ઉત્પાદકો તરફથી ઓક્સીજન મળી રહ્યો નથી. આ સમયે સપ્લાય સીમિત છે. જો 50 સિલિન્ડરની માંગ હોય તો ફક્ત 5થી 7 સિલિન્ડર જ મળે છે. અન્ય તરફ નવી મુંબઈ નગરપાલિકાના ઓફિસરે કહ્યું કે તેમને પણ અનેક હોસ્પિટલમાં ઓક્સીજનના સપ્લાયમાં અછત હોવાનો રિપોર્ટ મળ્યો છે. રાજ્ય સરકારને આ માટેની જાણ કરાઈ છે અને તેઓએ ઓક્સીજનની માંગમાં વધારો કરવાનું જણાવ્યું છે.
શું કહે છે સરકારી ઓફિસરો અને જાણકારો
સરકારી ઓફિસરો અને વિશેષજ્ઞોનું કહેવું છે કે મહારાષ્ટ્ર અને દેશના અન્ય કેટલાક ભાગમાં કેસ વધવાના કારણે આર્થિક ગતિવિધિઓને ફરી શરૂ કરાય છે. સાથે સ્થાનિક તહેવાર અને લોકડાઉનના કારણે પણ લોકો હવે બહાર નીકળી રહ્યા છે. ભારતમાં મહામારીની સ્થિતિ મુશ્કેલ છે અને આ સંકટ સતત ઘેરું બની રહ્યું છે. દેશના એક મોટા ભાગે તેને ઈગ્નોર કરીને આગળ વધવાનું નક્કી કર્યુ છે.
મધ્યપ્રદેશમાં ઓક્સીજનની અછત માટે મદદ કરી રહી છે કેન્દ્ર સરકાર
કોરોનાના વધતા કેસની વચ્ચે ઓક્સીજનની અછતમાં ફસાનારું મહારાષ્ટ્ર જ નહીં મધ્યપ્રદેશ પણ છે. અહીં 2 દિવસમાં 4 દર્દીના મોત થયા છે. આ ઘટના બાદ રાજ્યના શિવરાજ સિંહ સરકારે કેન્દ્ર પાસે મદદ માંગી છે. કેન્દ્રએ મુશ્કેલ સ્થિતિમાં મધ્યપ્રદેશને 1000 ઓક્સીજન કંસન્ટ્રેટર મશીનો આપી છે. જેને ભોપાલ, ઈન્દોર, જબલપુર જેવા શહેરો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આસપાસના રાજ્યમાં ઓક્સીજનની અછત ન આવે તેના પ્રયાસ કરાઈ રહ્યા છે.