કોરોનાની ચોથી લહેરના ભણકારા વચ્ચે રાજકોટના જેતપુર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં છે જેને કાર્યરત કરવા માંગ ઉઠી છે.
અનેક વખત ઉચ્ચકક્ષાએ રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહી
નિર્ભર તંત્રને હોસ્પિટલમાં સ્થાપેલ પ્લાનની નથી પડી દરકાર?
એક વર્ષ અગાઉ સ્થપાયેલ પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં 40 લાખનો ખર્ચ કરી પ્રતી 1મીનીટ માં 250 લીટરનો ઓક્સિજન પ્લાન્ટ લગવાયો હતો. અંદાજીત એક વર્ષ પહેલા જ બેસાડવામાં આવેલ આ પ્લાન્ટ છેલ્લા ઘણા મહિનાથી ટેકનિકલ ખામીઓના કારણે બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેતપુરની સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા તંત્રને તથા ઓક્સિજન પ્લાન્ટની કંપનીને ઘણી રજૂઆત કરાઈ છે. તેમ છતાંય આજદિન સુધી ઓક્સિજન પ્લાન્ટને ફરી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ નથી. ત્યારે સંભવિત કોરોનાંની લહેર અથવા તો આકસ્મિક રીતે જયારે કોઈ દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત પડી ત્યારે શુ? તે મોટો પ્રશ્ન છે.
જેતપુર હોસ્પિટલમા 40 લાખના ખર્ચે બનાવેલ ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં
જેતપુર સરકારી હોસ્પિટલમા 40 લાખના ખર્ચે બનાવેલ આધુનિક ઓક્સિજન પ્લાન્ટ છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે તેની દરકાર લેવામાં ન આવતા અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે આ ઓક્સિજન પ્લાન્ટને લઈને જવાબદાર અધિકારીઓ અને કંપનીઓ દ્વારા આ પ્લાન્ટને તાત્કાલિક શરૂ કરવામા આવે તેવી માંગ કરાઈ છે. ઓક્સિજન પ્લાન્ટની કંપની પર સરકાર અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને તંત્ર અને કંપનીએ તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવેલ ચાલીસ લાખના ખર્ચે બનાવેલ આધુનિક ઓક્સિજન પ્લાન્ટ વહેલી તકે કાર્યરત કરવા માગ છે.
કોરોનાની સંભવિત લહેર સામે તંત્ર બેફિકર
જેતપુર સરકારી હોસ્પિટલના અધિક્ષક નિકિતા પડ્યા દ્વારા આ ઓક્સિજન પ્લાન્ટ બંધ છે તેની રજૂઆત જવાબદાર કંપનીને પણ કરેલી છે તેવું જણાવેલ છે. છતાં હજુ સુધી આ જેતપુર સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ છે તેનુ રીપેરીંગ કામ હજુ સુધી કરવામા આવેલ નથી તેવું સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા જણાવાયું છે. કોરોનાની સંભવિત ચોથી લહેરની વ્યક્ત થઈ રહેલી શક્યતાને પગલે સરકાર દ્વારા આગોતરી તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ત્યારે જેતપુર સિવિલ હોસ્પિટલમાં સંભવિત કોરોનાની લહેર સામે લડવા આરોગ્ય તંત્ર સજજ હોવાના દાવા કરાઈ રહ્યા છે. વેન્ટિલેટર, 22 બેડ, ઓક્સિજન બોટલ સહિત દવાનો જથ્થો તેમજ ડોકટરોનો પૂરતો સ્ટાફ પણ સ્ટેન્ડ બાય છે હોસ્પિલમાં RTPCR લેબ પણ કાર્યરત છે. પરતું મોટી વાત એ છે કે ઓક્સિજન પ્લાન્ટ જે હાલ તો બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે.
બીજી તરફ જેતપુરનાં સામાજિક આગેવાને આ બાબતે જણાવ્યું કે ઓક્સિજન પ્લાન્ટના કંપની પર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. તંત્ર અને કંપની એ તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલનો ચાલીસ લાખના ખર્ચે બનાવેલ આધુનિક ઓક્સિજન પ્લાન્ટ વહેલી તકે કાર્યરત થાય તે દિશામાં કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.