હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વચ્ચે કોવિડ દર્દીઓ માટે 'ઓક્સિજન લંગર' ખોલવા અને તેમની સારવાર માટે વિના મૂલ્યે 'લાઇફ સિલિન્ડર' ભરવા માટે દિલ્હી-એનસીઆરમાં ઘણા લોકો અને NGO આગળ આવી છે.
કોરોના કાળમાં અદ્ભુત લંગર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લોકોના શ્વાસનો સહારો બને છે આ લંગર
ઓક્સિજન લંગરના લીધે ઘણાના જીવ બચી શકે છે
મહત્વનું છે કે દેશના ઘણા રાજ્યોમાં આઇસીયુ બેડ અને ઓક્સિજનની ઉણપ વર્તાઇ રહી છે, સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટે પણ આ મામલે કેન્દ્ર સરકારનો કાન આમળ્યો છે. મહત્વનું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં ઓક્સિજનના અભાવને લીધે તીવ્ર ઇમરજન્સી વચ્ચે અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 25 ગંભીર બીમાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને આવા હજુ 60 દર્દીઓના જીવ પણ ખતરામાં છે.
આ લંગરો ખૂબ સરળતાથી દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડે છે
માયાપુરી ટ્રેડિંગ એસોસિએશનના પ્રમુખ ઈન્દ્રજીતસિંહ મોંટીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા પાંચ દિવસથી માયાપુરી પ્લાન્ટમાંથી ઓક્સિજનનો મફત સપ્લાય કરીને હોસ્પિટલો અને લોકોને મદદ કરી રહ્યા છીએ. દરરોજ 500-600 થી વધુ લોકો અહીં ઓક્સિજન સિલિન્ડર ભરવા આવે છે.
કોઈ પણ અહીં ઓક્સિજનની જરૂરિયાત મુજબ તેમના પરિવારો માટે તેમના સિલિન્ડર ભરી લેવા માટે આવી શકે છે. પ્લાન્ટના માલિક અભિષેક ગુપ્તાની પહેલને પશ્ચિમ દિલ્હીની કેટલીક ખાનગી હોસ્પિટલો અને દિલ્હી પોલીસનો તમામ પ્રકારનો ટેકો મળી રહ્યો છે. ઘણા કિસ્સાઓમાં, તે દર્દીઓના જીવન સુધી પહોંચવામાં મદદ કરે છે. ચાલુ કટોકટીને ધ્યાનમાં રાખીને, 24 કલાક કામ કરતા પ્લાન્ટમાં દરરોજ 1,500 ઓક્સિજન સિલિન્ડર ભરવાની ક્ષમતા છે.
તે જ સમયે, ગાઝિયાબાદના ઈન્દિરાપુરમનું એક ગુરુદ્વારા પણ રોગચાળાના આ સમયમાં 'સંકટમોચક' તરીકે ઉભરી આવ્યું છે. તેણે કોવિડ દર્દીઓ માટે 'ઓક્સિજન લંગર' ખોલ્યું છે અને બીમાર લોકોને હોસ્પિટલમાં પલંગ ન મળે ત્યાં સુધી તેના પરિસરમાં ઓક્સિજન સપ્લાય કરવાનું વચન આપ્યું છે.