સીરમ ઈન્સ્ટીટ્યુટના સીઈઓ અદાર પુનાવાલાએ એવું જણાવ્યું કે જો બે ડોઝ વચ્ચે 2.5 થી 3 મહિનાનો સમય રાખવામાં આવે તો કોવિશિલ્ડ 90 જેટલી અસરકારક નીવડે છે.
અદાર પુનાવાલા સીરમ ઈન્સ્ટીટ્યુટના સીઈઓ
કોરોના વેક્સિનનો પહેલો ડોઝ 60-70 ટકા જેટલો અસરકારક હોય છે.
50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને અપાયેલા પહેલા ડોઝનું સારુ પરિણામ મળ્યું
એક ડોઝ લીધા બાદ લગભગ 70 ટકા લોકો સંપૂર્ણ રીતે સુરક્ષિત બને છે
અદાર પૂનાવાલાએ જણાવ્યું કે એક મહિનાનો ડોઝ 60-70 ટકા જેટલો અસરકારક હોય છે અને કેટલાક બીજા દર્દીઓને પણ 2-3 મહિનાના અંતરે બીજો ડોઝ અપાયો છે અને તેમાં કોવિશિલ્ડ 90 ટકા અસરકારક હોવાનુ માલૂમ પડ્યું છે.
જો આપણે બીજી રસી તરફ નજર દોડાવીએ તો આપણે બે ડોઝ વચ્ચે જેટલું વધારે અંતર રાખીએ તેટલી તેની અસરકારકતા વધારે રહે છે. 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને અપાયેલા પહેલા ડોઝના ઉત્સાહકારક પરિણામ મળ્યાં છે. આપણે કહી શકીએ કે એક મહિના બાદ એક ડોઝ સાથે પણ લોકોને એક ઉત્કૃષ્ટ રક્ષણ મળે છે અને તે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ કરતા પણ વધારે રોગપ્રતિકાર શક્તિ જોવા મળે છે. એક ડોઝ લીધા બાદ લગભગ 70 ટકા લોકો સંપૂર્ણ રીતે સુરક્ષિત બને છે પરંતુ લાંબા ગાળાની રોગપ્રતિકાર શક્તિ તથા રક્ષણ માટે બીજો ડોઝ ખૂબ જરુરી છે.
પુનાવાલાએ ઉમેર્યું કે બીજા ડોઝ પછી પણ દરેક લોકોએ માસ્ક પહેરવું જોઈએ, તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું જોઈએ, અને જ્યાં સુધી સારવાર ઉપલબ્ધ થાય ત્યાં સુધી અને આપણામાં હર્ડ ઈમ્યુનિટી આવી જાય તે તબક્કા સુધી આ તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. પૂનાવાલાએ જણાવ્યું કે કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધા પછી એક મહિનામાં રોગપ્રતિકારશક્તિ શરુ થાય છે. નેશનલ એક્સપર્ટ ગ્રુપે બીજા દેશોમાં કરેલા પરીક્ષણોમાં એવું સામે આવ્યું છે કે કોરોના રસીનો બીજો ડોઝ 6 મહિના પછી આપવામાં આવે તો તેની અસરકારકતા ખૂબ વધી જાય છે.