રસીને હજું વધારે અસરકારક બનાવવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સીટીએ લોકોના શરીરમાં જીવતા વાયરસ નાંખવામાં આવશે.
રસીને હજું વધારે અસરકારક બનાવવા ઓક્સફોર્ડ યુનિવર્સીટીએ તૈયારીઓ શરુ કરી
64 સ્વસ્થ વોલેન્ટિયર્સની શોધ છે
તમામ લોકોના શરીરમાં કોરોના વાયરસની વુહાન સ્ટ્રેન નાંખવામાં આવશે
રસીને હજું વધારે અસરકારક બનાવવા ઓક્સફોર્ડ યુનિવર્સીટીએ તૈયારીઓ શરુ કરી
દુનિયાભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોરોનાની રસીના 2 ડોઝ લીધા બાદ પણ અનેક લોકો સંક્રમિત જોવા મળ્યા છે. જોકે આવા લોકો પર ઓછી અસર જણાઈ રહી છે. હવે રસીને હજું વધારે અસરકારક બનાવવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સીટીએ નવી રીતે તૈયારીઓ શરુ કરી છે. આ અંતર્ગત એવા લોકોના શરીરમાં જીવતા વાયરસ નાંખવામાં આવશે. કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ઓક્સફોર્ડ યુનિવર્સીટીના એસ્ટ્રાજેનેકાની સાથે મળીને કોરોનાની રસી તૈયાર કરી છે. જે ભારતમાં કોવાશિલ્ડના નામથી ઓળખાય છે.
64 સ્વસ્થ વોલેન્ટિયર્સની શોધ છે
સમાચાર એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યાનુંસાર ઓક્સફોર્ડ યૂનિવર્સીટીના રિસર્ચ કરનારા વૈજ્ઞાનિકોએ આવા 64 સ્વસ્થ વોલેન્ટિયર્સની શોધ છે જે પહેલા કોરોનાને હરાવી ચૂક્યા છે. તેવા લોકોની ઉંમર 18-30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. યુનિવર્સીટીના જણાવ્યાનુસાર આ તમામ લોકોના શરીરમાં કોરોના વાયરસની વુહાન સ્ટ્રેન નાંખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં કોરોના વાયરસની શરુઆતના મામલા પહેલા ચીનના વુહાનના શહેરમાં આવ્યા હતા.
કેવી રીતે કરવામાં આવશે સ્ટડી
ઓક્સફોર્ડ યુનિવર્સીટીના જણાવ્યાનુંસાર જે 64 લોકોમાં કોરોના વાયરસના સ્ટ્રેન ફરી નાંખવામાં આવશે તેમને 17 દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક મહિનામાં જ આ સ્ટડીનો રિપોર્ટ આવી જશે. આના પરિણામોથી વૈજ્ઞાનિકોને વધારે અસરકારક રસી બનાવવામાં મદદ મળશે. આ ઉપરાંત એ પણ જાણી શકાશે કે ફરી કેટલા દર્દીઓને સંક્રમણ થઈ રહ્યું છે. હાલમાં જ એક રિસર્ચથી જાણી શકાયું છે કે 10 ટકા વયસ્કોમાં કોરોનાના ફરી સંક્રમણ થઈ રહ્યું છે.
વૈજ્ઞાનિકોની ચિંતા
ઓક્સફોર્ડે કહ્યું કે અધ્યયન અંતર્ગત એ જાણવામાં આવશે કે કોઈ વ્યક્તિ ફરી લગભગ કેટલા દિવસ બાદ કોરોના વાયરસથી સંક્રમણ થઈ શકે છે. અધ્યયનના બીજા ચરણમાં બિમારોના એક ગ્રુપને ડોઝ આપવામાં આવશે અને તેમની ઈમ્યુનિટીનું અધ્યયન કરવામાં આવશે. જો કે દુનિયાના અનેક વૈજ્ઞાનિકોએ આ વાતને લઈને ચિંતા વ્યક્ત કરી છે કે ફરી કોઈના શરીરમાં વાયરસ નાંખવાથી સંકટ વધી શકે છે. તેમનું કહેવું છે કે લાંબા સમય સુધી આની શરીર પર શું અસર થશે તે વિશે હજું કંઈ કહી શકાય નહીં.