'પૈસાદાર દરરોજ વધારે પૈસાદાર થઇ રહ્યા છે' એ વાત આપણે અવાર-નવાર સાંભળી હશે પરંતુ એક રિપોર્ટનું માનીએ તો આ વાત સાચી સાબિત થતી જોવા મળી રહી છે. એક રિપોર્ટમાં સામે આવ્યુ છે કે ભારતમાં રહેલા કરોડપતિની સંપત્તિમાં 2018માં પ્રતિ દિવસ લગભગ 2200 કરોડ રૂપિયાનો વધારો થયો છે. દેશની વસ્તીના કુલ 1 % લોકોની સંપત્તિ ગત વર્ષ 39 % ના હિસાબે વધી છે.
Oxfam ની રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ અડધાથી વધારેની વસ્તીનો આર્થિક ગ્રોથ વર્ષે ઘણો ઓછા ગતિથી આગળ વધ્યો. 50% વધુ લોકોની સંપત્તિમાં 3% હિસાબે વધારો થયો. જ્યારે વૈશ્વિક સ્તર પર જોઈએ તો દુનિયાના કરોડપતિઓની સંપત્તિમા પ્રતિ દિવસ 12% હિસાબે વધારે થયો. જ્યારે દુનિયાભરમાં રહેલા ગરીબ લોકોની સંપત્તિમાં 11% ઘટાડો જોવા મળ્યો છે. દેશની સૌથી વધુ 9 પૈસાદરોની પાસે કુલ વસ્તીના 50% વધારે લોકો કરતા વધુ સંપત્તિ છે.
આ રિપોર્ટ અનુસાર ભારતમાં રહેલા 13.6 કરોડ લોકો જે દેશની જનસંખ્યા 10% ગરીબ છે આ લોકો હજુ પણ દેવાદાર જ છે. ઉલ્લેખનીય છે કે Oxfamનો આ રિપોર્ટ દાવોસમાં યોજાનારા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ પહેલા સામે આવ્યો છે.
દુનિયામાં લગભગ 26 લોકો એવા છે જેમની પાસે 3.8 બિલિયન લોકોથી પણ વધારે સંપત્તિ છે. ગત વર્ષે આ આંકડો 44નો હતો. ઉદાહરણ તરીકે અમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની પાસે 112 બિલિનય ડોલરની સંપત્તિ છે કે જે ઈથોપિયા જેવા દેશના કુલ હેલ્થ બજેટની બરાબર છે. જ્યાંની વસ્તી 115 મિલિયન છે.
જો ભારતની વાત કરીએ તો 10% લોકોની પાસે દેશની કુલ 77.4% સંપત્તિ છે તેમાં પણ 1% પાસે કુલ 51.53% સંપત્તિ છે. જ્યારે 60% લોકોની પાસે માત્ર 4.8% સંપત્તિ છે.
રિપોર્ટ મુજબ 2018-2022ની વચ્ચે ભારતમાં રોજ 70 અમીરો વધશે. 2018માં ભારતમાં લગભગ 18 નવા અબજોપતિ બન્યા છે. દેશમાં તેમની કુલ સંખ્યા હવે 119 થઇ ગઇ છે જેમની પાસે 28 લાખ કરોડની કુલ સંપત્તિ છે.