સ્વિટઝરલેંડના દાવોસમાં દુનિયાભરના ધનિક અને શક્તિશાળી લોકો વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક માટે અહીં પહોંચ્યા હતા.
ઓક્સફૈમના રિપોર્ટમાં મોટો ખુલાસો
દુનિયામાં અમીરી અને ગરીબીની ખાઈ વધી
દર 30 કલાકે એક નવો વ્યક્તિ અબજોપત્તિ બન્યો
સ્વિટઝરલેંડના દાવોસમાં દુનિયાભરના ધનિક અને શક્તિશાળી લોકો વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક માટે અહીં પહોંચ્યા હતા. આ અવસરે ઓક્સફૈમ ઈંટરનેશનલે સોમવારે કહ્યું કે, કોરોના મહામારીના કાળમાં પણ વિશ્વમાં દર 30 કલાકે એક નવો અબજોપતિ ઉભરીને સામે આવ્યો છે. તેની વિપરીત આ વર્ષએ હવે દર 33 કલાકે 10 લાખ લોકો અત્યંત ગરીબીમાં સપડાયા છે.
દાવોસમાં 'પ્રોફિટિંગ ફ્રોમ પૈન' એટલે કે, પીડામાંથી નફાખોરી શીર્ષક હેઠળ જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટમાં ઓક્સફૈમે મોટો દાવો કર્યો છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, જરૂરી વસ્તુઓની કિંમત છેલ્લા એક દાયકાની સરખામણીમાં ઝડપથી વધી છે. ખાદ્યાન્ન અને ઊર્જા ક્ષેત્રોમાં અબજોપતિઓએ દરરોજ બે દિવસમાં પોતાની એક અબજ ડોલરની સંપત્તિ વધારી રહ્યા છે.
બે વર્ષ બાદ થઈ રહી છે બેઠક
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) સરકારી-પ્રાઈવેટ ભાગીદારીનું એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે. તેની બેઠક બે વર્ષ બાદ દાવોસમાં થઈ રહી છે. કોરોના મહામારીના કારણે બે વર્ષોથી આ બેઠક થઈ શકી નહોતી.
મોંઘવારી બની અબજોપતિઓ માટે વરદાન
ઓક્સફૈમ ઈંટરનેશનલના કાર્યકારી નિર્દેશક ગૈબ્રિએલા બુચરે રિપોર્ટમાં કહ્યું છે કે, દુનિયાના અબજોપતિઓ પોતાના નસીબના જોરે પોતાનું ભાગ્ય બદલવા માટે દાવોસમાં આવી રહ્યા છે. મહામારી અને હવે ખાદ્યાન્ન તથા ઊર્જાની કિંમતોમાં ભારે વધારો તેમના માટે વરદાન સાબિત થઈ રહ્યું છે. આ બાજૂ અત્યંત ગરીબ લોકોને સહારો બનવા માટે દાયકાઓની પ્રગતિ રહી છે અને લાખો લોકો ફક્ત જીવતા રહેવા માટે ભીષણ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે.
26 કરોડ લોકો અત્યંત ગરીબ થઈ જશે
ઓક્સફૈમના રિપોર્ટ અનુસાર મહામારી દરમિયાન દર 30 કલાકમાં એક નવો અબજોપત્તિ પૈદા થઈ રહ્યો છે. આ દરમિયાન કુલ 573 લોકો નવા અબજોપતિ બન્યા છે. સંગઠને કહ્યું કે, અમને ચિંતા છે કે ,દર વર્ષે 33 કલાકામં 10 લોકોના દરે 26.30 કરોડ લોકો અત્યંત ગરીબીનો શિકાર થઈ જશે.
રિપોર્ટમાં કહેવાયુ છે કે, કોવિડ-19ના પહેલા બે વર્ષોમાં અબજોપતિની સંપત્તિમાં છેલ્લા 23 વર્ષની સરખામણીમાં સૌથી વધુ વૃદ્ધિ થઈ છે. દુનિયાના અબજોપત્તિઓની કુલ વૈશ્વિક સંપત્તિ ગ્લોબલ જીડીપીનો 13.9 ટકા છે. જે 2000માં 4.4 ટકા હતા. જે ત્રણ ગણો વધી ચુક્યો છે. બુચરે કહ્યુ કે, અબજોપતિઓની તેમના માટે નથી વધી કે, તે સ્માર્ટ થઈ ગયા છે અથવા તો આકરી મહેનત કરી રહ્યા છે, પણ એટલા માટે વધી કે, સુપર રિચ દાયકાઓથી કરેલી ધાંધલીનો હવે લાભ ઉઠાવી રહ્યા છે. ખાનગીકરણ તથા એકાધિકારના કારણે તેમણે વિશ્વ સંપત્તિનો મોટો ભાગ ઝપટી લીધો છે અને પોતાની સંપત્તિને ટેક્સ હૈવન બનેલા દેશોમાં છુપાવી રહ્યા છે.