ગરીબી નાબૂદી માટે કામ કરતી સંસ્થા ઓક્સફામે (Oxfam) ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે વિશ્વમાં ભૂખમરાને કારણે દર મિનિટે 11 લોકોનો મોત થાય છે.
ગરીબી નાબૂદી માટે કામ કરતી સંસ્થા ઓક્સફામનો ખુલાસો
વિશ્વમાં ભૂખમરાને કારણે દર મિનિટે 11 લોકોનો મોત થાય છે
ભૂખમરાથી મરેલા લોકોની સંખ્યા કોરોનાની થયેલા મોત કરતા વધારે
ઓક્સફામે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં સમગ્ર વિશ્વમાં દુષ્કાળનો સામનો કરતા લોકોની સંખ્યામાં છ ગણો વધારો થયો છે.
કોરોનાથી વધારે ભૂખમરાને કારણે લોકોના મોત
ઓક્સફામ 'ધ હંગર વાયરસ મલ્ટિપ્લાઈઝ' નામના અહેવાલમાં જણાવ્યું છે કે ભૂખમરાને (Starvation) કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા કોવિડ-19 ને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યાથી (Covid-19 Death) વધારે છે. કોવિડ-19 ને કારણે વિશ્વમાં દર મિનિટે આશરે સાત લોકો મરે છે, જ્યારે ભૂખમરાથી મૃત્યુ (Starvation Death) પામનારા લોકોની સંખ્યા પ્રતિ મિનિટ 11 છે.
15.5 કરોડ લોકો ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યાં છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વના લગભગ 155 મિલિયન લોકો ખાદ્ય અસુરક્ષાની તીવ્ર કટોકટીનો સામનો કરી રહ્યા છે અને ગત વર્ષના આંકડા કરતા આ આંકડો 2 કરોડ વધુ છે. આમાંના લગભગ બે તૃતીયાંશ લોકો ભૂખે મરતા હોય છે અને તેનું કારણ તેમના દેશમાં ચાલી રહેલ લશ્કરી સંઘર્ષ છે.
5.2 લાખથી વધુ લોકો ભૂખમરામાં ધકેલાયા
મેક્સમેને કહ્યું, 'કોવિડ-19 ની આર્થિક અસર અને નિર્દય સંઘર્ષ, વિકટ વાતાવરણની કટોકટીએ 5.2 લાખથી વધુ લોકોને ભૂખમરાની ધાર પર ધકેલી દીધા છે. વૈશ્વિક મહામારીનો સામનો કરવાને બદલે, વિરોધાભાસી જૂથો એકબીજા સાથે લડત ચલાવી રહ્યા છે, આખરે લાખો લોકોને અસર કરે છે જેઓ હવામાન સંબંધિત આપત્તિઓ અને આર્થિક આંચકાઓ હેઠળ પહેલેથી જ ઝઝૂમી રહ્યા છે.
અફઘાનિસ્તાન, ઇથોપિયા, દક્ષિણ સુદાન, સીરિયા અને યમન સૌથી વધુ અસરગ્રસ્ત
ઓક્સફામે (Oxfam) જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (Coronavirus) હોવા છતાં વિશ્વભરમાં સૈન્ય પર થતો ખર્ચ મહામારી કાળમાં 51 અબજ ડોલર વધી ગયો છે, જે ભૂખમરોને સમાપ્ત કરવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા જરૂરી રકમ કરતા વધુ છે. આ અહેવાલમાં 'ભૂખથી સૌથી વધુ અસરગ્રસ્ત'ની યાદીમાં જે દેશને સ્થાન આપવામાં આવ્યું છે તે છે - અફઘાનિસ્તાન, ઇથોપિયા, દક્ષિણ સુદાન, સીરિયા અને યમન. આ તમામ દેશોમાં સંઘર્ષની પરિસ્થિતિઓ છે.
સંઘર્ષ નહીં રોકાય તો પરિસ્થિતિ બની જશે વિનાશકારી
મેક્સમેને જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોને ખોરાક અને પાણીથી વંચિત રાખી અને તેમના સુધી માનવીય રાહત નહીં પહોંચવા દેવાથી ભૂખમરાને યુદ્ધના હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય છે. બજારોમાં બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે, પાક અને પશુઓનો નાશ કરવામાં આવી રહ્યો છે, તો લોકો સલામત રહી શકશે નહીં અથવા ખોરાક શોધી શકશે નહીં. સંગઠને સરકારોને અનુરોધ કર્યો કે તેઓ સંઘર્ષને રોકે નહીં તો ભૂખમરાની પરિસ્થિતિ વિનાશકારી બની જશે.