દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર કાંતા પ્રસાદે ઊંઘની ગોળીઓ પીધી હતી
કાંતા પ્રસાદે આત્મહત્યા કરી છે કે કેમ એ કારણ હજી અકબંધ
કાન્તા પ્રસાદે ગયા વર્ષે એક નવું રેસ્ટોરેન્ટ શરૂ કર્યું હતું
નુકશાન થતાં બંધ કર્યું હતું રેસ્ટોરેન્ટ
કાંતા પ્રસાદે આત્મહત્યા કરી છે કે કેમ એ કારણ હજી અકબંધ
સોશિયલ મીડિયાના કારણે પોતાના ઢાબાને લઈ આખા દેશમાં પ્રખ્યાત થનાર બાબા કાંતા પ્રસાદણે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર કાંતા પ્રસાદે ઊંઘની ગોળીઓ પીધી હતી. તેમને હાલ દિલ્હીના સફદરગંજ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવે છે. પોલીસ હજી તપાસ કરી રહી છે કે શું કાંતા પ્રસાદે આત્મ હત્યાના પ્રયાસ કર્યા છે? હજી સુધી આ ઘટનાની તપાસ ચાલી રહી છે જેમાં જાણવા મળ્યું છે કે તેમણે દારૂ પીધો હતો.
Delhi | Kanta Prasad, 80 y/o owner of 'Baba Ka Dhaba' was admitted to Safdarjung Hospital last night. He had brought in an unconscious condition after he consumed alcohol & sleeping pills. Statement of his son has been recorded for the same. Probe on: DCP South Atul Thakur
કાન્તા પ્રસાદે ગયા વર્ષે એક નવું રેસ્ટોરેન્ટ શરૂ કર્યું હતું
સોશિયલ મીડિયામાં Youtuber ગૌરવ વાસન દ્વારા બનાવેલ વિડીયો વાયરલ થયા બાદ ભારતમાં પ્રખ્યાત થનાર બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદ ચર્ચામાં આવ્યા હતા. કારણકે રેસ્ટોરેન્ટમાં ભારે નુકશાન થયા બાદ તેઓ ફરી માલવીય નગર સ્થિત ઢાબા પર પાછા આવી ગયા છે. ગયા વર્ષે વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર દેશમાંથી લાખો રૂપિયાની મદદ મળી હતી, પણ લોકો હવે પૂછી રહ્યા છે.
હવે તેમની પાસે કેટલા રૂપિયા બચ્યા છે?
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે "હવે મારી પાસે 19 લાખ રૂપિયા બચ્યા છે. મને લાગે છે કે મને જે રેસ્ટોરેન્ટ ખોલવા માટેની સલાહ આપવામાં આવી તે સાવ ખોટી સાબિત થઈ અને ઘણું નુકશાન થયું. હવે જે પૈસા બચ્યા છે તે ભવિષ્ય માટે સાચવીને રાખીશ. પછી તેમને પૂછવામાં આવ્યું કે શું ગૌરવ વાસનથી કોઈ ફરિયાદ છે કે શું? ત્યારે તેમણે કહ્યું કે, "ગૌરવે અમારી ઘણી મદદ કરી છે અને અમે કહી શકીએ કે તેણે અમારી સાથે ચાલાકી કરી. તેણે અમારી જોડે કોઈ કાગળ પર સહી કરાઇ લીધી હતી, અમે તો બસ માત્ર એટલું જ જાણવા માંગીએ છીએ કે અમારા ખાતમાં કેટલા પૈસા આવ્યા છે.