રામમંદિર ભૂમિપુજન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટના રોજ અયોધ્યા જશે. પીએ મોદી રામમંદિરનો શિલાન્યાસ કર્યા બાદ સંબોધન કરશે. જો કે પીએમ મોદીના હસ્તે રામ મંદિરના ભૂમિપૂજનને લઇને હવે સવાલો ઉભા થઇ રહ્યાં છે. જેમાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત અયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે.
પીએમ મુલાકાતનો ઓવૈસીએ કર્યો વિરોધ
બંધારણીય શપથનું થશે ઉલ્લંઘન
400 વર્ષ સુધી અયોધ્યામાં હતી બાબરી
સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત અયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો. ઓવૈસીએ કહ્યું છે કે એક રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અયોધ્યામાં ભૂમિપૂજન કાર્યક્રમમાં PMનું સામેલ થવું પ્રધાનમંત્રીના બંધારણીય શપથનું ઉલ્લંઘન કહેવાય. AIMIMના અધ્યક્ષે કહ્યું કે ધર્મનિરપેક્ષતા બંધારણની મૂળ રચનાનો એક ભાગ છે.
Attending Bhumi Pujan in official capacity will be a violation of @PMOIndia‘s constitutional oath. Secularism is part of the Basic Structure of Constitution
We can’t forget that for over 400 years Babri stood in Ayodhya & it was demolished by a criminal mob in 1992 https://t.co/qt2RCvJOK1
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 5 ઓગસ્ટના રોજ અયોધ્યા જવાનો કાર્યક્રમ છે. જ્યાં તેઓ રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનના કાર્યક્રમમાં સામેલ થશે. શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા ઘણા લોકોને આમંત્રણ આપ્યું છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ કોરોના સંક્રમણના કારણે અયોધ્યામાં મહેમાનોની સંખ્યા 200 સુધી સીમિત રાખવામાં આવી છે. પ્રધાનમંત્રીના અયોધ્યા મુલાકાતને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે પીએમઓને સંપૂર્ણ પ્લાન સોંપી દેવામાં આવ્યો છે.
AIMIM સાંસદ અસુદુદ્દીન ઓવૈસીએ આ મુલાકાત પર સવાલ ઉઠાવ્યા છે અને પ્રધાનમંત્રી કાર્યાલયને સંબોધન કરતા ટ્વિટ કર્યું છે. ઓવૈસીએ લખ્યું છે કે પ્રધાનમંત્રીનું સત્તાવાર રીતે આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થવું એક બંધારણીય શપથનું ઉલ્લંઘન હશે. ધર્મનિરપેક્ષતા બંધાણની મૂળ રચનાનો એક ભાગ છે.
400 વર્ષ સુધી અયોધ્યામાં હતી બાબરી
ઓવૈસીએ કહ્યું કે આપણે એ વાત ન ભૂલવી જોઇએ કે બાબરી 400 વર્ષ સુધી અયોધ્યામાં હતી જેને 1992માં એક અપરાધિક ભીડ દ્વારા તોડી પાડવામાં આવી હતી.