ઓલ ઇન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ- ઉલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીએ સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટને કાળો કાયદો ગણાવ્યો છે, તેઓએ CAA અને NRCના વિરોધમાં લોકોને ઘર પર તિરંગો લહેરાવવાનું કહ્યું છે. શનિવારે મોડી રાતે દારુસ્સલામમાં યોજવામાં આવેલી રેલીમાં આ વાત કહેવામાં આવી હતી.
ઔવેસીએ રહ્યું કે જે પણ CAA અને NRCની વિરોધમાં છે તેઓ પોતાના ઘર પર તિરંગો લહેરાવે અને ભાજપને સંદેશ આપે કે તેઓએ ખોટો કાયદો બનાવ્યો છે. તેઓએ આ કાયદાને કાળો કાયદો કહ્યો છે. લોકોને અપીલ કરતા ઔવેસીએ કહ્યું કે આપણે નાગરિકતા કાયદાનો અહિંસાની સાથે વિરોધ કરવો જોઈએ. હિંસાના વિરોધ નબળો પડશે અને અહિંસાનો રસ્તો અપનાવીને સફળતા મેળવી શકાશે.
AIMIM leader Asaduddin Owaisi in Hyderabad: Whoever is against the National Register of Citizens (NRC) and Citizenship Amendment Act (CAA) should fly tricolour outside their homes. This will send a message to BJP that they have made a wrong and 'black' law. (21.12) pic.twitter.com/LOyBlR5v9t
રેલીમાં જોડાયેલા લોકોએ સંવિધાનની પ્રસ્તાવના વાંચી. જામિયા મીલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની વિદ્યાર્થીની લદીદા સખલૂન અને આયશા રેના પણ રેલીમાં જોવા મળી. આ બંને કેરળની રહેવાસી છે. દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને વિરોધ પ્રદર્શન સમયે એક વીડિયો વાયરલ થયો છે જેમા બંને એક યુવકને પોલીસના મારથી બચાવવાની કોશિશ કરતી જોવા મળી રહી છે.