AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સંઘના વડા મોહન ભાગવત પર હુમલો કર્યો છે.
ઓવૈસીએ મોહન ભાગવતના નિવેદનમાં વાંધો ઉઠાવ્યો હતો જેમાં ભાગવતે કહ્યું હતું કે ભારતના મુસ્લિમો વિશ્વમાં સૌથી વધુ સંતુષ્ટ છે.
ઓવૈસીએ આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે મોહન ભાગવત નક્કી ન કરે કે અમે કેટલા ખુશ છીએ. તેમની વિચારધારા મુસ્લિમોને સેકન્ડ ક્લાસ નાગરિકો બનાવવાની છે.
મહારાષ્ટ્રના એક સામયિકને આપેલા ઇન્ટરવ્યુમાં મોહન ભાગવતે આ કહ્યું હતું
તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રના એક સામયિકને આપેલા ઇન્ટરવ્યુમાં મોહન ભાગવતે કહ્યું હતું ભારતના મુસ્લિમો વિશ્વમાં સૌથી વધુ સંતુષ્ટ છે. તેમણે કહ્યું હતું કે વિશ્વમાં ભારત સિવાય એક પણ એવો દેશ નથી જ્યાં કોઈ વિદેશી ધર્મ જે ભૂતકાળમાં દેશના લોકો પર રાજ કરતો હતો તે હજી પણ અસ્તિત્વમાં હોય.
અમારે બહુમતી પ્રજા માટે આભારી હોવું જોઈએ એ સુખ છે? : ઓવૈસી
ઓવૈસીએ તેમના નિવેદન પર આકરી ટિપ્પણી કરી છે. ઓવૈસીએ ટ્વીટ કર્યું, "સુખને કેવી રીતે માપવું? ભાગવત નામનો એક વ્યક્તિ હંમેશા અમને કહેતો રહે છે કે અમારે બહુમતી પ્રજા માટે આભારી હોવું જોઈએ એ સુખ છે? સુખનું માપ એ છે કે શું બંધારણ હેઠળ અમારી મર્યાદાઓનું સન્માન કરવામાં આવે છે કે નહીં? હવે અમને ન કહો કે અમે કેટલા ખુશ છીએ, જ્યારે તમારી વિચારધારા ઇચ્છે છે કે મુસ્લિમોને સેકન્ડ ક્લાસ નાગરિક બનાવવામાં આવે."
What is measure of our happiness? That a man named Bhagwat can constantly tell us how grateful we should be to the majority? The measure of our happiness is whether our dignity under Constitution is respected. Don't tell us how 'happy' we're while your ideology wants... pic.twitter.com/DjRe5lhSBx
ભારતમાં રહેવા માટે હિંદુઓની સર્વોચ્ચતાને સ્વીકારવી જોઇએ તેવી કોઈ શરત નથી
સંઘના વડા ભાગવતે પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ભારતમાં રહેવા માટે હિંદુઓની સર્વોચ્ચતાને સ્વીકારવી જોઇએ તેવી કોઈ શરત નથી, અને બંધારણ એવું કહેતું નથી.
આ અંગે પ્રતિક્રિયા આપતા ઓવૈસીએ કહ્યું, "હું તમને એવું કહેતા સાંભળવા નથી માંગતો કે અમારે અમારા પોતાના વતનમાં વસવાટ કરવા માટે બહુમતી પ્રજા પ્રત્યે કૃતજ્ઞતા બતાવવી જોઈએ. અમને બહુમતીની સહાનુભૂતિ નથી જોઈતી. અમે વિશ્વના મુસ્લિમો સાથે ખુશ રહેવાની કોઈ સ્પર્ધામાં નથી, અમને ફક્ત અમારા મૂળભૂત અધિકાર જોઈએ છે."