તેલંગાણામાં ચૂંટણી પ્રચાર આજ સાંજનાં 5 વાગ્યેથી બંધ થઇ જશે. પ્રચાર ખતમ થતા પહેલા રાજનૈતિક દળોનાં તમામ નેતાઓ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યાં છે. બુધવારનાં રોજ હૈદરાબાદથી સાંસદ અને એઆઇએમઆઇએમનાં મુખિયા અસરુદ્દીન ઓવૈસીએ જનસભા દરમ્યાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર બરાબર હુમલો કર્યો છે.
પોતાની માં પાસેથી વિનમ્રતા શીખવી જરૂરી છે રાહુલઃ
ઓવૌસીએ રાહુલ ગાંધીનાં C ટીમવાળા નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે તેઓએ પોતાની માં સોનિયા ગાંધી પાસેથી વિનમ્રતા શીખવી જોઇએ. તેઓએ કહ્યું કે જ્યારે સમર્થન આપી રહ્યાં હતાં ત્યારે શું અમે દૂધથી ધોયેલાં હતાં. એઆઇએમઆઇએમ પ્રમુખે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીને કારણ જ કોંગ્રેસ હારી રહી છે. તેઓએ જણાવવું પડ્યું કે ત્રિપલ તલાકનાં મુદ્દા પર કોંગ્રેસે બીજેપીને સમર્થન કેમ આપ્યું.
ઓવૈસીનાં રાજ ઠાકરે પર પ્રહારઃ
ઓવૈસીએ કહ્યું કે રાહુલ ગાંધી સેક્યુલિરિઝ્મ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રવાદનું સર્ટિફિકેટ આપી રહેલ છે. આ લોકોએ 'લાલાઓની દુકાન' ખોલી રાખી છે. એટલું જ નહીં પરંતુ સાંસદે રાજ ઠાકરે પર પણ નિશાન સાધતા કહ્યું કે તેઓની પાર્ટી ભારતીયો પર હુમલો કરે છે અને અમારી પર તોફાનનાં આરોપો લગાવે છે. રાજ ઠાકરે પહેલા પોતાનાં પોતાની જાતને જુએ જો તેમનો ગ્રાફ નીચે પડી રહ્યો છે તો મારું નામ લઇ શકે.
ઓવૈસીએ બુલંદશહેર હિંસાને લઇને કહ્યું કે ગૌરક્ષકોએ પોલીસવાળાને તેની જ રિવોલ્વરથી મારી નાખ્યો. યૂપી-બિહારમાં ડરનો માહોલ છે તેલંગાણામાં કોઇ પણ સાંપ્રદાયિક તોફાન નથી થયું.