ત્યારે હવે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પર નિશાન સાધતા ટ્વીટ કર્યુ અને સવાલ કર્યો કે, શું તેઓ આતંકવાદના કેસના આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ માટે ચૂંટણી પ્રચાર કરશે. ઓવૈસીએ સીધો આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદીએ આતંકવાદ સાથે સમજૂતી કરી લીધી છે.
સાધ્વીએ કહ્યું હતુ કે, શહીદ પોલીસ અધિકારીને શાપ લાગ્યો અને તેમનો અંત થયો. આ એક બેજવાબદાર નિવેદન જ નહીં પણ બહાદુર અધિકારીની બેઈજ્જતી પણ છે. તેઓ દેશની સુરક્ષા માટે પાકિસ્તાનથી આવેલા આતંકીઓ સામે લડતા શહીદ થયા. સાધ્વીને ટિકિટ આપવાને લઈને એવું પણ કહ્યું કે, વિશ્વભરમાં દેશનું નામ ખરાબ થયુ છે. ચૂંટણી જીતવા માટે મોદીને કોઈ અન્ય ઉમેદવાર ના મળ્યો કે શું.