AIMIM પાર્ટી પંચમહાલના ગોધરા નગરપાલિકા પોતાના કબજે કરી છે. અને ભાજપને સત્તા ગુમાવવાનો વખત આવ્યો છે.
ગુજરાતની રાજનીતિમાં ઔવેસીની પાર્ટીનો ન.પા પર કબજો
પંચમહાલ ગોધરા ન.પામાં ઔવેસીની પાર્ટીની સત્તા
અપક્ષ ઉમેદવારોને પોતાના પક્ષમાં લાવી સત્તા કરી કબજે
ગુજરાતમાં ઔવેસીએ આમ આદમી પાર્ટીને પણ રાજનીતિમાં ટેક ઓવર કરી લીધું છે. AIMIM પાર્ટીએ પંચમહાલના ગોધરા નગરપાલિકા પોતાના કબજે કરી છે. અને ભાજપને સત્તા ગુમાવવાનો વખત આવ્યો છે. સુરતમાં AAPના 27 કોર્પોરેટર્સની જીતની ચર્ચા ચાલી રહી છે. પરંતુ સમગ્ર નગરપાલિકામાં કબજો કરવામાં ઔવેસીની પાર્ટી AIMIMને ભાજપ-કોંગ્રેસ પછી પ્રથમ સફળતા મળી છે.
44માંથી માત્ર 7 ઉમેદવાર હોવા છતાં આ રીતે ન.પા પર કર્યો કબજો
ગોધરા નગરપાલિકામાં કુલ 44 સભ્યોની સંખ્યા છે. ચૂંટણી બાદ ઔવેસીની પાર્ટીના 7 ઉમેદવારોએ જીત મેળવી હતી. પરંતુ ગોધરા નગરપાલિકામાં સત્તા માટે 23 સભ્યોની જરૂર હતી. ત્યારે ઔવેસીની પાર્ટીએ 17 અપક્ષ જીતેલા ઉમેદવારોને પોતાના પક્ષમાં ભેળવી લીધા છે. 17 સભ્યોના સમર્થન બાદ હવે ગોધરા નગરપાલિકામાં ઔવેસીની પાર્ટી સત્તા ભોગવશે.
ઔવેસીની પાર્ટીને ગોધરામાં સત્તા માટે 17 અપક્ષ ઉમેદવારોનો સહારો મળ્યો છે. જેમાં 5 હિન્દુ સભ્ય પણ સામેલ છે. જેમણે પણ ઔવેસીની પાર્ટીને સમર્થન આપ્યું છે. સુરતમાં AAPના 27 કોર્પોરેટર્સ જીતીને આવ્યા બાદ તેમની ચર્ચા છે. પરંતુ જોવામાં આવે તો, ઔવેસીએ ગઠજોડ કરીને સમગ્ર ગોધરા નગરપાલિકા પર સત્તા મેળવી છે.
સ્થાનિક સ્વરાજમાં ઔવેસીની પાર્ટીએ ત્રણ જગ્યાએ ચૂંટણી લડી
ગોધરા સહિત ભરૂચમાં ઔવેસીની પાર્ટી AIMIMએ એક સીટ પ્રાપ્ત કરી છે. તો મોડાસા નગરપાલિકામાં AIMIM વિપક્ષી પાર્ટી બની ચૂકી છે. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AIMIMએ ગોધરા, મોડાસા અને ભરૂચ નગરપાલિકામાં પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. જે પહેલા ઔવેસીએ ગુજરાતમાં જનસભા કરી હતી. જો કે, ગુજરાતમાં આવવા માટે ઔવેસીએ BTP છોટુભાઈ વસાવાની પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.
ગોધરાનો ઉલ્લેખ હંમેશા 2002ની ટ્રેન ઘટના સાથે કરવામાં આવે છે. ગોધરામાં ટ્રેનની ઘટના બાદ આ વિસ્તારમાંથી કોંગ્રેસ જીતી રહી હતી. ત્યારે આ વખતે કોંગ્રેસના પ્રભુત્વવાળી બેઠક પર ઔવેસીએ કબજો જમાવ્યો છે. ગોધરા સાથે ભરૂચમાં પણ 8 બેઠક પર માત્ર MIMને 1 ઉમેદવાર જીતી શક્યો હતો.
2022માં ઔવેસી વિધાનસભાની ચૂંટણીમાં ઉતરશે?
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAPની સાથે ઔવેસીની પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. તો 2022માં પણ ઔવેસી વિધાનસભાની ચૂંટણીમાં BTPની સાથે મળી મુસ્લિમ, દલિત અને આદિવાસી ગઠબંધન દ્વારા ખાસ બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારી શકે છે.