AIMIM ના રાષ્ટ્રીય પ્રમુખ ઓવૈસીએ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોને ઉભા રાખ્યા છે. ત્યારે ઓવૈસીએ સ્લૉટર હાઉસનો મુદ્દો ઉઠાવતા હાલ ચર્ચાનો મુદ્દો બનવા પામ્યો છે.
ગુજરાતમાં ચૂંટણી સમયે AIMIM ના પ્રમુખનું વિવાદિત નિવેદન
ગુજરાતમાં ચૂંટણી જીતીશું તો સ્લૉટર હાઉસ વધારીશુંઃ ઓવૈસી
ચૂંટણી વખતે ઓવૈસીએ સ્લૉટર હાઉસનો મુદ્દો ઉઠાવ્યો છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે. ત્યારે ગુજરાતનાં ચૂંટણી જંગમાં સાંસદ અસરૂદ્દીન ઓવૈસી નવો મુદ્દો લઈને આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્લૉટર હાઉસનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સાંસદ ઓવૈસીએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, ગુજરાતમાં ચૂંટણી જીતીશું તો સ્લૉટર હાઉસ વધારીશું. સાંસદ અસદુદ્દીન ઓવૈસીના આક્રમક વલણને કારણે વિપક્ષના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.
ઓવૈસીની 'એમ' ફોર્મ્યુલા
ચૂંટણીમાં AIMIMના વડા ઓવૈસી 'M' ફોર્મ્યુલા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓવૈસી વારંવાર મુસ્લિમ મતોને નિશાન બનાવે છે અને મુસ્લિમ ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારે છે અને મુસ્લિમોના મુદ્દા ઉઠાવે છે. આ 'એમ' ફોર્મ્યુલાના કારણે અસદુદ્દીન ઓવૈસી ઘણા રાજ્યોમાં ચૂંટણી લડી ચૂક્યા છે. હવે ગુજરાતમાં ચૂંટણી છે અને ઓવૈસીએ સ્લૉટર હાઉસનો મુદ્દો ઉઠાવ્યો છે.
ઓવૈસીએ શું કહ્યું?
ઓવૈસીએ એક નિવેદનમાં કહ્યું હતું કે 'ગુજરાતમાં 36 સ્લૉટર હાઉસ છે. જેમાંથી 25 બંધ છે અને માત્ર ચાર જ કામ કરી રહ્યા છે. હું તમને વચન આપું છું કે સર સાબીર ભાઈસાહેબ આપણા કુરૈશી ભાઈઓની સમસ્યાઓ હલ કરશો.
સ્લૉટર હાઉસનો મુદ્દો શા માટે ઉઠાવવામાં આવ્યો?
સ્લૉટર હાઉસના માલિકને સમસ્યાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, "અમે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. સરકાર અમારી કોઈ સમસ્યાને સાંભળી નથી રહી. ગુજરાત AIMIMના પ્રમુખ એવો પણ દાવો કરી રહ્યા છે કે જો તેમના ધારાસભ્યો જીતશે તો તેઓ તેમના સ્લૉટર હાઉસનો મુદ્દો ઉઠાવશે.