કેળા જ્યારે પાકી જાય છે તો એ પીળા થઇ જાય છે. આ ઉપરાંત ખૂબ વધારે પાકી ગયેલા કેળાને આપણે સડી ગયેલું સમજીને ફેંકી દઇએ છી. ત્યારે અમે તમને સડેલું કેળું ખાવાના કેટલાક ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.
કેળા જ્યારે પાકી જાય છે તો એ પીળા થઇ જાય છે. પરંતુ એ વધારે પાકી જાય છે તો ધીરે ધીરે એનો રંગ બદલાવા લગે છે. કેળું વધારે પાકી જાય છે તો થોડુંક પિચકાઇ જાય છે અને આપણે સડેલું માનીને ફેંકી દઇએ છીએ. પરંતુ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે સડેલું કેળું પણ ખૂબ જ કામનું છે, એને ખાવાથી ઘણા પ્રકારની બિમારીઓથી છુટકારો મળી શકે છે.
દિલને રાખે તંદુરસ્ત
કેળામાં પોટેશિયમ સારા પાકેલા રૂપમાં હોય છે. એવામાં ખૂબ જ પાકેલું કેળું ખાવાથી કૉલેસ્ટ્રોલનું સ્તર શરીરમાં સારું બનેલું રહે છે. કેળામાં ફાઇબર હોય છે. આ કારણથી એ દિલની બિમારીઓથી દૂર રાખે છે. એમાં કૉપર અને આયરન લોહીની માત્રા દુરુસ્ત રાખવામાં મદદગાર હોય છે.
સેલ ડેમેજ રોકે છે
ખૂબ જ વધારે પાકેલા કેળામાં ભરપૂર માત્રામાં એન્ટી ઑક્સીડેન્ટ મળી આવે છે. આ કોશિકાઓને નુકસાન થતી બચાવે છે. આ ઉપરાંત પણ ઘણા પ્રકારની બિમારીઓના જોખમથી બચાવે છે.
પચવામાં સરળ
વધારે પાકેલા કેળામાં રહેલું સ્ટાર્ચી કાર્બોહાઇડ્રે઼ડ ફઅરી શુગરમાં બદલાઇ જાય છે. એનાથી પાચન ખૂબ જ સરળ થઇ જાય છે. જ્યારે કાચા કેળામાં જે સ્ટાર્ચ મળી આવે છે એને પચવામાં ખૂબ જ સમય લાગે છે.
છાતીમાં બળતરાથી રાહત
વધારે પાકેલું કેળું પેટની અંદરની પરતો પર એક એવું સુરક્ષાકવચ તૈયાર કરે છે, જેનાથી એની પર હાનિકારક એસિડ્સ અને બળતરાનો પ્રભાવ પડવા દેતો નથી.
કેન્સર સામે લડે છે
ખૂબ જ પાકેલા કેળાની છાલ પર કાળા ધબ્બા પડી જાય છે. છાલ પરનો આ કાળો ભાગ એક પ્રકારથી પદાર્થનું નિર્માણ કરે છે જે કેન્સર ફેલાવનાર તથા અન્ય અસામન્ય કોશિકાઓને વધતા રોકવાનું કામ કરે છે.