નવી દિલ્હી: આ મહિનાના અંત સુધી સરકાર સાર્વજનિક ક્ષેત્રના એક ડઝનથી પણ વધારે બેંકોને 46 101 કરોડ રૂપિયાની ઇક્વિટી રકમ આપશે. આ રકમને પ્રાપ્ત કરનારી બેંકોની યાદીમાં ભારતીય સ્ટેટ બેંક પંજાબ નેશનલ બેંક યૂનિયન બેંક સહિત ડઝનથી વધારે બેંકો સામેલ છે. આ રકમમાંથી સૌથી વધારે રકમ SBIને મળશે. આ રકમ 8800 કરોડ રૂપિયા થશે.
ભારતીય સ્ટેટ બેંક બેંક ઓફ બરોડા પીએનબી સેન્ટ્રલ બેંકય યૂનિયન બેંક અને ઓબીસીએ આ મહિને પોતાના શેરહોલ્ડર્સની બેઠક બોલાવી છે. આ બેઠકમાં બેંક સરકાર પાસેથી આ રકમને મેળવવા માટે શેર વેચનાર પ્રસ્તાવને પાસ કરશે. એસબીઆઇને શેરધારકોની બેઠક 15 માર્ચે થનારી છે.
તો બીજી બાજુ પંજાબ નેશનલ બેંકે શેર બજારોને જણાવ્યું છે કે શેરધારકોની અસાધારણ બેઠક 16 માર્ચે થશે. આ બેઠકમાં 5 473 કરોડ રકમના પ્રેફરન્શિયલ શેર સરકારને આવંટિત કરવાને લઇને નિર્ણય લેવામાં આવશે.
તો બીજી બાજુ વિજયા બેંકે પોતાના શેરધારકોની બેઠક શુક્રવારે બોલાવી છે. આજે આ બેઠકમાં 1 277 કરોડ રૂપિયાની કિંમતના શેર પ્રેફરન્શિયલ આધાર પર સરકારને આવંટિત કરવાને લઇને નિર્ણય લેવામાં આવશે.
કેન્દ્ર સરકાર ભારતીય સ્ટેટ બેંકને જ્યાં 8800 કકરોડ રૂપિયા આપશે. તો બીજી બાજુ બેંક ઓફ બરોડાને 5 375 કરોડ સેન્ટ્રલ બેંકને 4 835 કરોડ યૂનિયન બેંક ઓફ ઇન્ડિયાને 4 524 કરોડ અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સને 3 571 કરોડ રૂપિયા આપવામાં આવશે.
આ ઉપરાંત દેના બેંકને 3 045 કરોડ સિન્ડિકેટ બેંક 2 839 કરોડ વઅને કોર્પોરેશન બેંકને 2 187 કરોડ રૂપિયાની શેર રકમ આપવામાં આવશે.