જમ્મુ-કાશ્મીર પોલીસે એક મોટા ઓપરેશનમાં લશ્કર, જૈશ, અલ-બદર અને રેઝિસ્ટન્સ ફ્રન્ટના 900થી વધુ ઓવર ગ્રાઉન્ડ કામદારોની ધરપકડ કરી છે.
જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી
લશ્કર, જૈશ, અલ-બદરના 900થી કામદારોની ધરપકડ
કાશ્મીરમાં ઘણા નાગરિકોની હત્યા બાદ મોટું એક્શન
સૂત્રોએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદીઓએ લઘુમતી નાગરિકો પર હુમલો કર્યા પછીનું આ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે તમામ અટકાયતીઓ પાસેથી વિવિધ તપાસ એજન્સીઓની સંયુક્ત પૂછપરછ ચાલી રહી છે.
ધરપકડ કરાયેલા ઓવરગ્રાઉન્ડ કામદારોની પૂછપરછ
સૂત્રોનું કહેવું છે કે એજન્સીઓ ધરપકડ કરાયેલા ઓવરગ્રાઉન્ડ કામદારોને પૂછવાનો પ્રયાસ કરી રહી છે કે તેઓ આખરે જમ્મુ-કાશ્મીરમાં લઘુમતી સમુદાયને કેમ નિશાન બનાવી રહ્યા છે.
સેનાએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં આતંકીઓ નાગરિકોની આડેધડ હત્યા કરી રહ્યાં હતા. સૂત્રોના જણાવ્યાનુસાર સુરક્ષા દળોને પાકા પાયે શક હતો કે ઝડપાયેલા કામદારો ગુપ્ત રીતે આતંકીઓની મદદ કરતા હતા અને તેને કારણે જ આતંકીઓ ફાવતા હતા, આ બાતમી મળતા સેનાએ ગુપ્ત રીતે એક મોટો પ્લાન બનાવ્યો હતો અને તેઓ કંઈ પણ કરી શકે તે પહેલા તેમને ઝડપી પાડવામાં આવ્યાં હતા.
નાગરિકોની હત્યા બાદ કાર્યવાહી કરાઈ
માહિતી માટે ટીઆરએફના વડાએ ખીણમાં કાશ્મીરી પંડિત ઉદ્યોગપતિ મખન લાલ બિંદ્રુ અને અન્ય બે નાગરિકોના મોતની જવાબદારી લીધી છે. જમ્મુ પોલીસ દ્વારા તાજેતરમાં જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓએ બિન્દ્રુ મેડિકેટના માલિક બિંદુ (68)ને નિશાન બનાવ્યા હતા, જ્યારે તે તેની ફાર્મસીમાં હતો. બાદમાં રાત્રે લગભગ 8.30 વાગ્યે આતંકવાદીઓએ લાલ બજાર વિસ્તારમાં ગોલગપ્પા વેચનારા વિરેન્દ્ર પાસવાનને મારી નાખ્યો હતો.
વિરેન્દ્ર પાસવાન બિહારના ભાગલપુરના વતની હતા.બાદમાં રાત્રે લગભગ 8.45 વાગ્યે આતંકવાદીઓએ બાંદીપોરાના શાહગુંડ વિસ્તારમાં એક નાગરિકને મારી નાખ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ નાહિદખાઈનિવાસી મોહમ્મદ શફી લોન તરીકે થઈ હતી.