કોરોના વેક્સિનેશનમાં રેકોર્ડ તોડતા ભારતે અત્યાર સુધીમાં 75 કરોડથી વધારે લોકોને વેક્સિન આપી છે.
ભારતે કોરોના વેક્સિનેશનમાં રેકોર્ડ તોડ્યો
અત્યાર સુધીમાં 75 કરોડથી વધારે લોકોને લાગી વેક્સિન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આપી માહિતી
WHO ભારતના ભરપેટ વખાણ કર્યાં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જણાવ્યું કે અભિનંદન ભારત, દેશમાં 75 કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ લાગી ચૂક્યો છે. આ માટે તેમણે તમામ લોકોને અભિનંદન પાઠવ્યાં હતા.
Over 75 crore #COVID19 vaccinations administered in India so far, says Union Health Minister Mansukh Mandaviya pic.twitter.com/ds76z97IFR
WHO ભારતના ભરપેટ વખાણ કર્યાં
વિશ્વ આરોગ્ય સંગઠને પણ વેક્સિનેશનની ભારતની સિદ્ધીની બિરદાવી છે. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા જારી નિવેદનમાં જણાવાયું છે કે ભારતે વેક્સિનેશનમાં રેકોર્ડ તોડ્યો છે જે દુનિયા માટે દાખલો બની શકે છે.
સૂત્રોના જણાવ્યાનુસાર ચાલુ અઠવાડિયામાં WHO હૈદરાબાદ સ્થિત વૈક્સિન નિર્માતા કંપની ભારય બાયોટેકની કોવૈક્સિનને મંજૂરી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે જુન મહિનામાં ડબલ્યુએચઓએ ભારત બાયોટેકના એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટનો સ્વીકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કોવૈક્સિન સંપૂર્ણ રીતે સ્વદેશી વેક્સિન છે, ભારત સરકારની તેને મંજૂરી પણ મળી ચૂકી છે અને તેના ઈમરજન્સી ઉપયોગની પણ મંજૂરી છે, લોકો માટે તે ઉપલબ્ધ પણ બની રહી છે. અત્યાર સુધી આ વેક્સિનને ડબલ્યુએચઓના ઈમરજન્સી યૂઝની લિસ્ટમાં સામેલ કરાઈ નથી. જેને કારણે ઘણા દેશોએ કોવૈક્સિન લગાડનાર લોકોને પ્રવાસની મંજૂરી આપી નથી.