આધાર કાર્ડ જારી કરનાર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ જણાવ્યું કે 60 લાખથી વધુ આધારકાર્ડ ધારકોએ ઓર્ડર આધાર રિપ્રિન્ટ સેવાનો ઉપયોગ કર્યો છે. UIDAI અનુસાર રિપ્રિન્ટેડ આધાર લેટર સ્પીડ પોસ્ટ દ્વારા 15 દિવસમાં ડિલીવર કરવામાં આવ્યા હતા. જો તમારું આધારકાર્ડ ખોવાઈ ગયું છે, તો તમે ફરીથી આધારકાર્ડ રિપ્રિન્ટ સુવિધા દ્વારા નવું આધારકાર્ડ મેળવી શકો છો. આધાર રિપ્રિન્ટની સુવિધા mAadhaar અને UIDAIના માધ્યમથી આધાર ફરી રિપ્રિન્ટ કરાવી શકાય છે.
આધારધારકો માટે કામના સમાચાર
આધારકાર્ડ આ રીતે ફરી કરાવો રિપ્રિન્ટ
15 દિવસમાં મળી જશે આધાર
મોબાઈલ નંબર વિના આધાર રિપ્રિન્ટ કરાવો
જો તમારા આધારથી કોઈ રજિસ્ટર્જ મોબાઈલ નંબર લિંક નથી તો પણ તમે આધાર રિપ્રિન્ટ કરાવી શકો છો. તમે UIDAIની વેબસાઈટ પર જઈને અથવા તો આ લિંક https://resident.uidai.gov.in/aadhaar-reprint પર ક્લિક કરીને આધાર રિપ્રિન્ટની રિક્વેસ્ટ કરી શકો છો. જેનાથી તમને ઘેર બેઠા આધારની નવી કોપી મળી જશે. આ કામ માટે તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. આમાં સ્પીડ પોસ્ટ ચાર્જ અને જીએસટી સામેલ છે. તમને 15 દિવસમાં રજિસ્ટર્ડ એડ્રેસ પર નવું આધાર કાર્ડ મળી જશે. આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ન હોવા પર પણ ઓનલાઈન કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.
#AadhaarAchievement
Over 60 lakh residents have used our 'Order Aadhaar Reprint' service. The reprinted Aadhaar letters were delivered to them within 15 days via Speed Post. 1/3 pic.twitter.com/Vh3iyIg4H1
આધાર કાર્ડ માટે સૌથી પહેલાં UIDAIની વેબસાઈટ પર જવું પડશે. અહીં રિપ્રિન્ટનું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવું. ત્યારબાદ તમારો આધાર નંબર અથવા વીઆઈડી કોડ નાખવો પડશે. ત્યારબાદ નોન રજિસ્ટર્ડ મોબાઈલ વેરિફિકેશન થશે અને પછી એસઆરએન નંબર મળશે.