પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત યોજનાને સ્વસ્થ ભારત દિશામાં મહત્વનો માઇલસ્ટોન બતાવ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે આ યોજના હેઠળ એક વર્ષમાં 50 લાખથી વધારે નાગરિકોએ નિઃશુલ્ક ઉપચારનો લાભ ઉઠાવ્યો છે.
એક વર્ષમાં 50 લાખ નાગરિકોએ નિઃશુલ્ક ઉપચારનો લાભ લીધો
આયુષ્યમાન ભારત યોજના એક માઇલસ્ટોન પથ્થર સાબિત થઇ
આ યોજનાનો લક્ષ્ય 10 કરોડ લોકોને વીમો પૂરો પાડવાનો
પીએમ મોદીએ ટવિટ કરી આ યોજનાને ગણાવી માઇલસ્ટોન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવિટ કરી સ્વસ્થ ભારત બનાવાની યાત્રામાં આયુષ્યમાન ભારત યોજના એક માઇલસ્ટોન પથ્થર સાબિત થયો છે. આ પ્રત્યેક ભારતીય માટે ગર્વની વાત છે કે એક વર્ષમાં 50 લાખ નાગરિકોએ નિઃશુલ્ક ઉપચારનો લાભ લીધો છે. જેનો મુખ્ય શ્રેય આયુષ્યમાન ભારત યોજનાને જાય છે.
An important milestone in the journey of creating a healthy India!
It would make every Indian proud that in a year, over 50 lakh citizens have benefited from free of cost treatment thanks to Ayushman Bharat. Apart from curing, this scheme is empowering several Indians. pic.twitter.com/0aNb6VkmMh
ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન ભારત યોજના કેન્દ્રની મોદી સરકારની મહત્વપૂર્ણ યોજના છે. જેનો ઉદ્દેશ્ય આર્થિક રીતે કમજોર લોકોને સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરવાનું છે. 2018 સપ્ટેમ્બરમાં શરૂ થયેલી આ યોજનાનું લક્ષ્ય 10 કરોડ ગરીબ અને ઓછી-મધ્યમ આવકવાળા પરિવારોને સ્વાસ્થ્ય વીમા યોજનાના માધ્યમથી પ્રતિ પરિવારને 5 લાખ રૂપિયાનો વીમો પૂરો પાડવાનો છે.