જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 હટાવવા છતાં પથ્થરમારાની ઘટના ઓછી થઇ રહી નથી. 5 ઓગસ્ટથી અત્યાર સુધીમાં જમ્મૂ-કાશ્મીરમાં 300થી વધારે વખત પથ્થરમારાની ઘટના સામે આવી છે. જો કે સુરક્ષા દળો દ્વારા સતત ઘાટીમાં પરિસ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
370 હટાવ્યાં બાદ થયેલા પથ્થરમારામાં 100 સુરક્ષાકર્મીઓ પણ થયા ઘાયલ
જમ્મૂ-કાશ્મીરમાં તંત્ર સતત પરિસ્થિતિ સામાન્ય હોવાનો કરી રહ્યું છે દાવો
100માંથી 80 CRPF સુરક્ષાકર્મીઓ થયાં ઘાયલ
સુરક્ષા દળની ઇન્ટરનલ ડૉક્યૂમેન્ટના વિશ્લેષણમાં આ વાત સામે આવી છે, જે જમ્મૂ-કાશ્મીરના તંત્ર દ્વારા દાવાથી તદ્દન વિપરત તસવીર રજૂ કરે છે. આ દસ્તાવેજમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પથ્થરમારાની ઘટનામાં અંદાજે 100 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. જેમાં 89 CRPFના જવાનો છે.
જમ્મૂ-કાશ્મીરમાં તંત્ર પરિસ્થિતિ સામાન્ય હોવાનો કરી રહ્યું છે દાવો
બીજી તરફ જમ્મૂ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય હોવાનો તંત્ર દાવો કરી રહ્યું છે. કેન્દ્ર શાસિત રાજ્ય બનવા જઇ રહેલ જમ્મૂ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે અને ઘણી હદ સુધી શાંતિ છે.
CRPFના ઉચ્ચ અધિકારીએ આ અંગે જણાવ્યું કે...
CRPFના એક ઉચ્ચ અધિકારીએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે પથ્થરમારાની આટલી ઘટના હોય શકે છે, પરંતુ વર્ષ 2016ની સરખામણીએ પ્રદર્શનકારીઓની સંખ્યા ઘણી ઓછી છે. 2016માં આતંકી બુહરાન વાણીના મોત બાદ જોરદાર વિરોધ પ્રદર્શન થયું હતું.