છેલ્લા 4 દિવસથી દેશમાં ભારે વરસાદને કારણે 120થી વધુ લોકોના મોત થયા છે જેના કારણે સૌથી વધારે મૃત્યુ ઉત્તર પ્રદેશમાં થયા છે. બિહારમાં હાલ સુધી 27 લોકોના મોત થયા છે. તો યૂપીમાં ગુરુવારથી હાલ સુધી લગભગ 93 લોકોના મોત થઈ ચૂક્યા છે.
ભારે વરસાદના કારણે દેશભરમાં 120થી વધુ લોકોના થયા મૃત્યુ
બિહારમાં હાલ સુધીમાં વરસાદના કારણે 27 લોકો મોતને ભેટ્યા
બિહારની શાળામાં 86 બાળકો અને શિક્ષકો ફસાયા
યૂપીમાં 4 દિવસમાં 93 લોકોના મોત
અવિરત વરસાદના કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસોમાં વરસાદની સાથે જોડાયેલી ઘટનામાં 120થી વધુ લોકોના મોત થયા છે. જેમાં સોથી વધુ મોત ઉત્તર પ્રદેશમાં થયા છે. બિહારમાં સતત થતા વરસાદને કારણે સામાન્ય જીવન પ્રભાવિત થયું છે. રાજધાની પટનાના દરેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અને રોજની જરૂરિયાતોને પૂરી કરવા માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે.
મંત્રીઓના બંગલામાં ઘૂસ્યું પાણી, રાષ્ટ્રપતિનો કાર્યક્રમ થયો રદ
પટનાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પાવર સબ સ્ટેશનોમાં પાણી ભરાઈ જવાના કારણે વીજળી પણ ગુલ થઈ. રાજ્યના પાંચ મંત્રી નંદ કિશોર યાદવ (સડક નિર્માણ મંત્રી), કૃષ્ણ નંદન વર્મા (શિક્ષા મંત્રી), સુરેશ શર્મા (નગર વિકાસ મંત્રી), સંતોષ નિરાલા (પરિવહન મંત્રી) અને ઉપ મુખ્યમંત્રી સુશીલ મોદીના રહેઠાણે પણ પાણી ભરાયા. આ સમયે અધિકૃત નિવેદન આવ્યું છે કે ઝારખંડના ગુમલા જિલ્લામાં રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો નક્કી કાર્યક્રમ રદ કરાયો છે. સૂત્રોએ જણાવ્યું છે કે ભારે વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
At least 35 deaths in Uttar Pradesh were reported on Saturday after the state recorded 18 times the normal rainfall.https://t.co/DlLxFZksCr
વરસાદને કારણે બિહારમાં હાલ સુધી 27 લોકોના મોત થયા છે. 1975માં પટનામાં પૂર આવ્યું એની સ્થિતિ આજે રાજેન્દ્રનગરમાં જોવા મળી રહી છે. રાજેન્દ્રનગરમાં હોડીઓ ચાલી, પણ પાણી કોઈએ જોયું નહીં. શહેરની અનેક હોસ્પિટલ, દુકાન, બજાર જળમગ્ન થયા છે. વાહન વ્યવહાર ખોરવાયો છે. લોકોનું ઘરમાંથી નીકળવું મુશ્કેલ બન્યું છે. અનેક જગ્યાએ પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના ભાગલપુરઅને કૈમુરમાં વરસાદથી મોતના સમાચાર મળી રહ્યા છે. અન્ય તરફ મુખ્યમંત્રી નીતિશ કુમારે જળાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી અને સાથે કહ્યું કે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હું રાજ્યના લોકોને ધૈર્ય અને હિંમત રાખવાની અપીલ કરું છું.
#BiharRains | Battered by heavy rainfall for the third consecutive day, #Bihar recorded at least 18 deaths on Sunday due to inundated streets, water-logged railway tracks and marooned business establishments.https://t.co/xUVX6PLdmD
બિહારના નવાદાના રજૌલી અનુમંડળની આંબેડકર શાળાના 86 બાળકો પૂરમાં ફસાયા. અટાનક કેમ્પસમાં પાણી ઘૂસી ગયું હતું. વિદ્યાર્થીઓ અને સાથે ટીચર્સ પણ શાળાની છત પર પહોંચી ગયા હતા. ગ્રામીણ અને પ્રશાસનને ખ્યાલ આવશે કે અનેક લોકો શાળાની તરફ દોડી રહ્યા છે અને બાળકોને બહાર કાઢવામાં આવ્યા.
યૂપીમાં 4 દિવસમાં 93 લોકોના મોત
યૂપીમાં ગુરુવારથી હાલ સુધી લગભગ 93 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજ્ય સરકારના રિપોર્ટ અનુસાર રવિવારે 14 લોકોના મોત થયા હતા. આ પહેલાં શનિવારે 25 અને શુક્રવારે 18 લોકોના મોત થયા છે. આ પહેલાં પણ 36 લોકોના મોત થયા હતા. કેન્દ્રીય જળવિભાગના અપરગંગા બેસિન સંગઠન, લખનઉના ઘાઘરા અને શારદા નદીના અનેક સ્થાનો પર સામાન્ય કરતાં પાણી વધારે ઉપર વહી રહ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રવિવારે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે કાર વહી ગઈ અને સાથે ત્રણ મહિલાઓએ પણ જીવ ગુમાવ્યા. ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં શનિવારે ભારે વરસાદના કારણે બનેલી ઘટનાઓમાં 13 લોકોના મોત થયા છે. અનેક અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે જમ્મૂ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રિય સીમાની પાસે બીએસએફના 54 વર્ષના ઉપ નિરિક્ષકના ડૂબવાની શક્યતા છે. તેઓ 36મી બટાલિયનથી હતા.
The situation of bihar very bad & people are struggling with raining. Rain isn't taking to name stop from 5 days.the situation become like a heavy flood. many districts are affected including capital of Bihar.
દેશભરમાં પૂરના રાહત કાર્યમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સેનાની અનેક ટીમો જોડાઈ છે. ફક્ત બિહારમાં પ્રભાવિત વિસ્તારોમાં 19 ટીમો રાખવામાં આવી છે. NDRFની ટીમ અન્ય એજન્સીઓ સાથે મળીને પ્રભાવિત સ્થાનો પર સુરક્ષા પહોંચાડી રહી છે. રવિવારે એનડીઆરએફની ટીમે પટનાના નીચેના વિસ્તારોમાં રાહત અભિયાન ચલાવ્યું અને 235 લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા છે. હાલ સુધી બિહારમાં 4945 લોકો અને 45 મવેશિયોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે.
અનેક ટ્રેન થઈ કેન્સલ
રેલવે પ્રશાસને યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોલકત્તાથી અમૃતસર જનારી અકાલ તખ્ત એક્સપ્રેસ રદ કરી છે. જ્યારે પંજાબ મેલ સહિત અનેક ટ્રેનના રૂટ બદલીને ચલાવવામાં આવી રહી છે. રેલવે અધિકારીએ આપેલી માહિતિ અનુસાર 28 સપ્ટેમ્બરે હાવડાથી અમૃતસર જનારી ટ્રેન 13005 પંજાબ મેલ રસ્તો બદલીને રવાના કરવામાં આવી . આ સિવાય પણ માલદા-ટાઉન- દિલ્હીની વત્તેની ફરક્કા એક્સપ્રેસ કિઉલ જં. ગયા- પંડિત દીન દયાળ ઉપાધ્યાય અને હાવડાથી જમ્મૂ તાવી જનારી હિમગીરી એક્સપ્રેસ આસનસોલ-પ્રધાન ખાટા -ગયા - પંડિત દીનદયાલ ઉપાધ્યાય થઈને ચાલશે.