બનાસકાંઠામાં અંદાજીત રૂપિયા 400 કરોડનું મગફળી કૌભાંડ બહાર આવ્યુ છે ખેડૂતોનો આક્ષેપ છે કે તેમણે કયારેય પણ મગફળી વાવી નથી તેમ છતા તેમના નામ પર મગફળીની ખરીદી કરવામાં આવી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ તેમના ખાતામાં ખરીદીના નાણા જમા થયા હતા પણ કોઇયે ઉપાડી પણ લીધા. આ ઉપરાંત બીજી વાત આ કૌભાંડમાં સામે આવી રહી છે કે વર્ષ 2017માં અહી સંપૂર્ણ પાક ધોવાયો હતો અને તેના માટેનું 100 ટકા વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું.
જો પાક નિષ્ફળ ગયો છે તો આ 400 કરોડ રૂપિયાની મગફળી ક્યાથી આવી? આ 400 કરોડનું મગફળી કૌભાંડમાં બનાસ ડેરીના સાતાધીશો પર આરોપ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરવામાં આવી છે.