ગોવાના આઉટગોઇંગ ડેપ્યૂટી મુખ્યમંત્રી વિજય સરદેસાઇએ શનિવારે કહ્યું કે કોંગ્રેસના 10 ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરવા દિવંગત મુખ્યમંત્રી મનોહર પર્રિકર દ્વારા સ્થાપિત પરંપરાને ખતમ કરવું છે. આ તટીય રાજ્યના સૌથી વધારે કદાવર ભગવા નેતા રહેલા પર્રિકરને ક્ષેત્રીય પાર્ટીને એકજૂટ કરી 2017માં સરકાર બનાવવાનું શ્રેય જાય છે.
ગોવામાં કોંગ્રેસને બુધવારે એ સમયે ઝટકો લાગ્યો જ્યારે તેના 15માંથી 10 ધારાસભ્યોએ પોતાની પાર્ટી બદલી નાંખી અને ભાજપમાં સામેલ થઇ ગયા. આ ઘટનાક્રમથી 40 સભ્યોવાળી રાજ્ય વિધાનસભામાં ભાજપ ધારાસભ્યોની સંખ્યા 27 થઇ ગઇ છે. તેના બાદ, મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ચાર મંત્રીઓને પોતાની કેબિનેટથી હટાવી દીધા, જેમા સરદેસાઇ સહિત ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP)ના ત્રણ મંત્રી અને એક અપક્ષ નેતા સામેલ છે.
સરદેસાઇએ મિરામારમાં પર્રિકરના સ્મારક પાસે લોકોને કહ્યું કે, 'પર્રિકરની બે વાર મોત થઇ. પહેલા તેમનું અવસાન 17 માર્ચે થયું, જ્યારે આજે તેમની રાજનીતીક પરંપરા ખતમ થઇ ગઇ.' એમણે એ જાહેરાત કરી કે ગોવા ફોરવર્ડ પાર્ટી (જીએફપી) ભાજપ સરકારથી પોતાનું સમર્થન પાછુ લઇ રહી છે. સરદેસાઇએ કહ્યું કે, 'અમે પ્રમોદ સાંવત સરકારનું સમર્થન કર્યું હતું, કેમકે મેં પર્રિકરને વચન આપ્યું હતું કે કોઇપણ પરિસ્થિતિમાં સરકારનું સમર્થન ચાલુ રહેશે. અમે હવે એનડીએ દ્વારા છેતરાયાનું અનુભવી રહ્યા છીએ'.
સરદેસાઇએ વધુમાં કહ્યું કે ભાજપના કોઇપણ કેન્દ્રીય નેતએ તેમની વાત માની નહોતી. એમણે કહ્યું હતું કે, 'ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પોતાની શાખ ગુમાવી દીધી છે. એનડીએએ પોતાના સહ પાર્ટીઓને છોડી દીધી છે'.