ભારતે UNમાં જમ્મુ અને કાશ્મીરના મુદ્દાની પાકિસ્તાનની વર્ષોથી ચાલી રહેલી ફરિયાદને હંમેશ માટે દૂર કરવાનો અનુરોધ કર્યો છે. ભારતનું કહેવું છે કે આ એક 'આઉટડેટેડ એજન્ડા' છે.
ભારતનું કહેવું છે કે અત્યારના સમયમાં આવા મુદ્દાઓ ચગાવવા એ અર્થવિહીન છે. ભારતે પાકિસ્તાન ઉપર પણ ચાબખા ફટકારતા કહ્યું હતું કે પાકિસ્તાન પોતે આંતરરાષ્ટ્રીય ધોરણે શાંતિના સંદેશાની દુહાઈઓ આપે છે જ્યારે વાસ્તવિકતા એ છે કે તેઓ વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી સંઘઠનોને આશરો આપીને બેઠું છે.
નોંધનીય છે કે UNની સિક્યોરિટી કાઉન્સિલની વાર્ષિક વર્ચ્યુઅલ મિટિંગમાં પાકિસ્તાનના મુનીર અક્રમે ફરી એક વખત જમ્મુ કાશ્મીરનો રાગ આલાપ્યો હતો અને ફરિયાદ કરી હતી કે આ મુદ્દે સિક્યોરિટી કાઉન્સિલ પગલાં લેતી નથી.
તેના જવાબ સ્વરૂપે ભારતે જમ્મુ અને કાશ્મીરના મુદ્દાની પાકિસ્તાનની વર્ષોથી ચાલી રહેલી ફરિયાદને હંમેશ માટે દૂર કરવાનો અનુરોધ કર્યો હતો. ભારતે કહ્યું હતું કે આ આઉટડેટેડ એજન્ડાને કાઉન્સિલમાંથી રદબાતલ કરી દેવો જોઈએ.
નોંધનીય છે કે પાકિસ્તાન તેના પરમમિત્ર 'ચીન'ની સાથે મળીને જમ્મુ કાશ્મીરના મુદ્દાને UNમાં ચર્ચવાની ઈચ્છા રાખે છે.