રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે પરતું રાજ્યના મોટા શહેરોમાં હવે રોકચાળાનો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથું ઉચકતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
અમદાવાદ શહેરમાં રોગચાળાનો કહેર યથાવત
ચાલુ માસમાં ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો
ઓક્ટોબરના ત્રીજા અઠવાડીયામાં ડેન્ગ્યુના 139 કેસ
રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે પરતું રાજ્યના મોટા શહેરોમાં હવે રોકચાળાનો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથું ઉચકતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. શહેમાં મોટા ભાગના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે. ચોમાસા બાદ મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધતા હોય છે.
અમદાવાદ શહેરમાં રોગચાળાનો કહેર યથાવત
જો કે મોટા શહેરોમાં ગલી અને મહોલ્લામાં થતી ગંદકી કારણે રોગચાળો વકરતો હોય છે, શહેરોમાં ઘરોમાં વાસણોમાં પાણી ભરી રાખવાના કારણે પણ ડેન્ગ્યૂના મચ્છરો જોવા મળતા હોય છે. જો વાત કરવામાં આવે તો ચાલુ માસમાં જ ચિકનગુનિયાના કેસમાં સતત વધારો નોંધાયો છે. તો ઓક્ટોબર માસના ત્રીજા અઠવાડિયામાં ડેન્ગ્યૂના 139 દર્દીઓ સામે આવ્યા હતા સાથે મલેરિયા 6 અને ચિકન ગુનિયાના 46 કેસ જોવા મળ્યા હતા.
ચાલુ માસમાં ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો
અમદાવાદ શહેરમાં ફરી એક વખત રોગચાળો માથુ ઉંચકી રહ્યો છેત્યારે શહેરનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે આરોગ્ય વિભાગના અહેવાલ અનુસાર સોલા સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના દર્દીઓના આંકડા સામે આવ્યા જેમાં શહેરમાં રોગચાળાના કેસનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું હોવાનું જણાઈ છે. ઓક્ટોબર માસ બાદ ફરી એક વખત રોગચાળામાં વધતો જોવા મળે છે
ઓક્ટોબરના ત્રીજા અઠવાડીયામાં ડેન્ગ્યુના 139 કેસ
છેલ્લા ત્રણ મહિનાના રોગચાળાના આંકડા ઉપર એક નજર કરીએ તો ઓગસ્ટ માસમાં ડેન્ગ્યુના 325, મલેરિયાના 53 અને ચિકનગુનિયાના 66 કેસ નોંધાયા હતા. તો સપ્ટેમ્બર માસમાં ડેન્ગ્યુના 256, મલેરિયાના 46 અને ચિકનગુનિયાના 66 કેસ નોંધાયા છે. ઓક્ટોબર મહિનાના ત્રીજા સપ્તાહમાં ચિકન ગુનિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તો ઓક્ટોબરમાં ડેન્ગ્યુના 22, મલેરિયાના 7 અને ચિકન ગુનિયાના 46 કેસ નોઁધાયા છે.