93માં એકેડમી ઍવોર્ડમાં મલયાલમ ફિલ્મ જલીકટ્ટુને ભારત તરફથી એન્ટ્રી મળી ગઇ છે. લિજો જોસ પેલિસેરીની આ ફિલ્મ એક ડ્રામા થ્રિલર છે. ઓસ્કારની એન્ટ્રીની રેસમાં આ ફિલ્મની સાથે અન્ય ફિલ્મો પણ સામેલ હતી.
મલયાલમ ફિલ્મ જલીકટ્ટુને મળ્યુ ઓસ્કારમાં સ્થાન
27 ભાષાની ફિલ્મોને પાછળ છોડીને મેળવ્યુ સ્થાન
શકુંતલા દેવી અને ગુંજન સક્સેનાને પણ છોડી પાછળ
ઑસ્કાર ઍવોર્ડના નોમિનેશનમાં સ્થાન પામવું પણ ગર્વની બાબત હોય છે. દુનિયાભરની શ્રેષ્ઠ ફિલ્મો ઑસ્કારની રેસમાં હોય છે અને તેમાંથી કોઇ એક ફિલ્મને ઍવોર્ડ મળતો હોય છે. અલગ અલગ કેટેગરી પ્રમાણે ઑસ્કાર મળતા હોય છે. 2020ની ઑસ્કાર રેસમાં ભારતની મલયાલમ ભાષાની ફિલ્મ જલીકટ્ટુએ સ્થાન મેળવ્યું છે અને જલીકટ્ટુને ઑસ્કારની રેસમાં પહોંચાડનાર જુરી પૅનલમાં 3 ગુજરાતી હતા.
કેવી રીતે થાય છે ફિલ્મનું સિલેક્શન
ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ભારતમાંથી 27 ફિલ્મોની પસંદગી કરવામાં આવી હતી જેમાંથી એકને ઑસ્કર એન્ટ્રી માટે મોકલવાની હતી. 11 જુરી મેમ્બર વચ્ચે આ દરેક ફિલ્મને લઇને ચર્ચા થઇ હતી. જુરી પૅનલના હૅડ રાહુલ રવૈલ હતા.
મહત્વનું છે કે, 2021માં પોતાની જગ્યા બનાવનાર ફિલ્મો શકુંતલા દેવી, શિકારા, ગુંજન સક્સેના, ભોંસલે, ગુલાબો સિતાબો, સિરીયસ મેન, બુલબુલ, કામયાબ અને ધ સ્કાય ઇઝ પિંક જેવી હિન્દી ફિલ્મો સામેલ હતી. આ સિવાય બિટર સ્વિટ અને ડિસાઇપલ જેવી મરાઠી ફિલ્મો પણ ઓસ્કારની એન્ટ્રી બનવાની રેસમાં સામેલ હતી.
3 ગુજરાતી જુરી મેમ્બર
ગુજરાતી સિનેમાના અભિનેતા જયેશ મોરે, ડિરેક્ટર અભિષેક શાહ અને આર્ટ ડિરેક્ટર નિરજ શાહ પણ પૅનલના મેમ્બર હતા. અભિષેક શાહના જણાવ્યા અનુસાર મરાઠી ફિલ્મ ડિસાઇપલ પર પણ જુરી મેમ્બર્સની ખુબ ચર્ચા થઇ હતી અને બાદમાં જલીકટ્ટુ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો.
કેમ માત્ર 27 ફિલ્મ ?
કોરોના મહામારીમાં વધુ ફિલ્મો રિલિઝ થઈ ન હતી માટે માત્ર 27 ફિલ્મો જોવામાં આવી હતી. કોરોના મહામારીને કારણે આ ફિલ્મોનું સ્ક્રિનિંગ અને માર્કિંગ તેમ જ ડિસ્કનશન ઑનલાઈન થયું હતું. અલગ અલગ રાજ્યોમાંથી જુરી મેમ્બર્સ હતા. જેમાં ફિલ્મ મેકર, કોસ્ચ્યુમ ડિઝાઈનર અને આર્ટ ડિરેક્ટર જેવા લોકોનો સમાવેશ હતો.