કાશ્મીર મુદ્દા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાના પ્રસ્તાવને કોંગ્રેસ નેતા શશિ થરૂરે ફગાવી દીધી છે. શશિ થરૂરે કહ્યું કે અમે મધ્યસ્થતાની જરૂરિયાત નથી. કાશ્મીર મુદ્દે થરૂરે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસનું એક સરખું વલણ છે.
કાશ્મીર મુદ્દે BJP અને કોંગ્રેસ એક સાથે
પાકિસ્તાન આતંકીઓને જેલમાં મોકલે
મોદી ન હોય શકે ભારતના પિતાઃથરૂર
પાકિસ્તાન આતંકવાદી કેમ્પ બંધ કરેઃ થરૂર
અમને પાકિસ્તાન સાથે વાતચીત કરવામાં કોઇ પરેશાની નથી, પરંતુ તેઓ એક બાજુ આતંકવાદ અને બીજી બાજુ બોમ્બ રાખશે તો અમે તેમની સાથે વાતચીત નહીં કરીએ. પાકિસ્તાને આતંકવાદી કેમ્પ બંધ કરવા જોઇએ.
Shashi Tharoor on US President Donald Trump's mediation remark over Kashmir issue: We don't need a mediator. We've no trouble in talking to Pakistan. But we can't talk to them if they've guns in one hand & bombs in the other. They should put those down&lock up terrorists. (03.10) pic.twitter.com/BDjgBp3SZP
કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કાશ્મીર મુદ્દે કોંગ્રેસ અને ભાજપનો એકસાથે છે. અમે માથા પર બંદુક રાખીને વાતચીત ન કરી શકીએ. કાશ્મીર મામલે ત્રીજા કોઇ પક્ષની આવશ્યકતા નથી. હાલમાં પાકિસ્તાન આતંકીઓને સમર્થન કરી રહ્યું છે જે અમને સ્વીકાર નથી.
પીએમ મોદીને ફાધર ઓફ ઇન્ડિયા કહેવા પર આપ્યું આ નિવેદન
કોંગ્રેસ નેતા શશિ થરૂરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફાધર ઓફ ઇન્ડિયા કહેવા પર નિવેદન આપતાં કહ્યું કે મોદી ભારતના પિતા ન હોઇ શકે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ જાણતા નથી કે સ્વતંત્ર ભારતનો જન્મ 1947માં થયો હતો અને મોદીજીનો જન્મ 1949 અથવા 50માં થયો હતો. એવામાં મુશ્કેલ છે કે પિતાનો જન્મ બાળક બાદ થયો હોય.
#WATCH Indore: Congress' Shashi Tharoor reacts on US Pres calling PM Modi 'Father of the nation'.Says "...Maybe Mr Trump doesn't know independent India was born in 1947&Modi ji's birth date is either 1949 or '50. It'll be difficult if the father is born after the child..." (3.10) pic.twitter.com/n1qdrkcCfK
ગત દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના નેતાઓ સાથે કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરી છે અને મધ્યસ્થતા અંગે રજૂઆત કરી છે.
ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિના મધ્યસ્થતાના પ્રસ્તાવને નામંજૂર કર્યો હતો
મધ્યસ્થતાના પ્રસ્તાવ પર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે મે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોને જણાવ્યું હતું કે કાશ્મીર મામલો દ્વિપક્ષીય છે. કાશ્મીર મામલે અમને ત્રીજા કોઇ પક્ષની મધ્યસ્થતાની જરૂરત નથી.