પાકિસ્તાનમાં બસ વિસ્ફોટની ઘટનામાં માર્યા ગયા છે 9 ચીની નાગરિકો, આતંકી હુમલામાં ચીની નાગરિકો માર્યા જતા હવે ચીન મિત્ર દેશ પાકિસ્તાન સામે નારાજગી દર્શાવી
પાક.માં વિસ્ફોટમાં ચીને પાકિસ્તાનને કડક શબ્દોમાં કહી દીધું આ
આતંવાદનો ખાત્મો ન બોલાવી શકો તો અમારા સૈનિકો તૈયાર
બસ વિસ્ફોટની ઘટનામાં માર્યા ગયા છે 9 ચીની નાગરિકો
પાકિસ્તાનમાં આતંકી હુમલામાં ચીની નાગરિકો માર્યા જતા હવે ચીન મિત્ર દેશ પાકિસ્તાન સામે નારાજગી દર્શાવી છે. બસમાં થયેલા વિસ્ફોટને ગેસ લીક થવાથી વિસ્ફોટ થયો હોવાનું કારણ આપતા પાકિસ્તાને ચીને કડક શબ્દોમાં કહી દીધું છે કે જો પાકિસ્તાન આતંકીઓનો સામનો ન કરી શકતું હોય તો ચીની સૈનિકો અને તેમની મિસાઈલો સાથે પાકિસ્તાન મોકલી શકે છે.
ભારતના પ્રસાયોમાં ચીન અડચણ રૂપ સાબિત થયું
આપને જણાવી દઈએ કે આ પહેલા ચીન પાકિસ્તાનમાં આતંકવાદ મુદ્દે દરેક વખતે પાકિસ્તાનનો બચાવ કરતા નજરે પડ્યું છે. યુએનમાં પણ મસૂદ અજહરને લઈ વિશ્વ આતંકી ઠેરવવા મામલે ભારતના પ્રસાયોમાં ચીન અડચણ રૂપ સાબિત થયું છે.
આતંવાદનો ખાત્મો ન બોલાવી શકો તો અમારા સૈનિકો તૈયાર
ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સના સંપાદકને એક ટ્વીટમાં જણાવ્યું કે આ હુમલામાં જવાબદાર આતંકીઓ હજુ સુધી ખુલીને સામે આવ્યા નથી. પરતું તેમની શોધખોળ કરવામાં આવશે અને તેમનો ખાત્મ બોલાવી દેવમાં આવશે. જો પાકિસ્તાન પોતે આતંકી કાર્યવાહીમાં સક્ષમ ન હોય તો, પાકિસ્તાનની મંજૂરીથી ચીની મિસાઈલ અને સ્પેશિયલ ફોર્સને કામે લગાવી શકાય છે.
પાકિસ્તાને જણાવ્યું ઘટનાને બસમાં ગેસ લીક થતા વિસ્ફોટ થયો
સમગ્ર ઘટના બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું કે વિસ્કોટ મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે જેમાં કોઈ કસર છોડવામાં આવશે નહીં ઉલ્લેખનિય છે કે બસ વિસ્ફોટમાં 9 ચીની નાગરિકોના મોત નિપજ્યા છે. જો કે આ ઘટનાને બસમાં ગેસ લીક થતા વિસ્ફોટ થયો હોવાનું જણાવાઈ રહ્યું છે.
ચીનના વડાપ્રધાન સાથે ફોન ઉપર કરી વાત
ઈમરાન ખાને કહ્યું કે શત્રુ તાકતોને બંને દેશના સૌહાર્દપૂર્ણ સંબંધોને નુકસાન પહોંચાડવાનું કાર્ય કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. ઈમરાન ખાને ચીનના વડાપ્રધાન સાથે ફોન ઉપર વાત પણ કરી હતી અને સમગ્ર ઘટનામાં ન્યાયીક તપાસ માટે આશ્વાસન આપ્યું હતું અને ચીની નાગરિકોના મોત થવા પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
9 ચીની નાગરિકો સહિત 13ના મોત નિપજ્યા
નિર્માણ થઈ રહેલા ધાસુડેમ પર ચીનના એન્જીનિયરો મજૂરોને બસમાં લઈને જઈ રહ્યા હતા ત્યારે બસમાં વિસ્ફોટ થયો હતો જેમાં 9 ચીની નાગરિકો સહિત 13ના મોત નિપજ્યા હતા. જેમાં ફ્રન્ટયર કોરના બે સૈનિકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે 39 અન્ય લોકો વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયા હતા.
વિસ્ફોટમાં ઘાયલ ચીની નાગરિકોની સૌથી સારી સારવાર
આ ઘટના બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાનમાં ચીની નાગરિકો, કારીગરો, પરિયોજનાઓ અને સંસ્થાઓની સુરક્ષા મામલે કોઈ બાંધ છોડ નહીં કરવામાં આવે, ચીનની પરિયોજનાઓની અને સંસ્થાનોની સુરક્ષા પાકિસ્તાન સરકારની સર્વેચ્ચ પ્રાથમિકતા રહેશે. ઘટના બાદ પાકિસ્તાનના લોકોમાં પણ શોક ફેલાઈ ગયો છે વિસ્ફોટમાં ઘાયલ ચીની નાગરિકોની સૌથી સારી સારવાર કરવામાં આવશે અને તેમને બધા જ પ્રકારની સુવિધા આપવામાં આવશે.