સોશ્યલ મીડિયા અને OTT પ્લેટફોર્મ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, સરકારે સોશ્યલ મીડિયા અને OTT પ્લેટફોર્મ માટે નિયમો બનાવી નાંખ્યા છે.
વિદેશથી કન્ટેન્ટ આવ્યુ હશે તો ભારતમાં કન્ટેન્ટ શરૂ કોણે કર્યુ તે બતાવવુ પડશે
કેન્દ્ર સરકાર હવે સોશ્યલ મીડિયા અને OTT કંપનીઓ સામે કડક થઈ ગઈ છે. સોશ્યલ મીડિયામાં નિયમોમાં બદલાવ અને નવી ગાઈડલાઇનની જાહેરાત આજે કરવામાં આવી છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદ કરી હતી.
Significant social media to have chief compliance officer-resident in India-responsible for ensuring compliance of Acts, have nodal contact person-resident in India-for coordination with law enforcement agencies, have resident grievance officer for grievance redressal: RS Prasad
રવિશંકર પ્રસાદે કહ્યું કે સોશ્યલ મીડિયામાં ખોટી ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પણ હવે સરકાર સોશ્યલ મીડિયા પર આપત્તિજનક સામગ્રીને મંજૂરી નહીં આપે. તેમણે કહ્યું કે અમે જોયું છે કે લોકો હવે હિંસા ફેલાવવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે.
There should be a grievance redressal system in OTT platforms and digital portals. OTT platforms will have to have a self-regulating body, headed by retired Supreme Court or High Court judge or very eminent person in this category: Union Minister Prakash Javadekar pic.twitter.com/PcechR10wc
કેન્દ્ર સરકારે કહ્યું કે ભારતમાં વેપાર કરવા માટે સોશ્યલ મીડિયાનું સ્વાગત છે, અને સરકાર પોતાની ટીકા માટે પણ તૈયાર છે. પરંતુ સોશ્યલ મીડિયાના ખોટા ઉપયોગને મંજૂરી મળવી જોઈએ નહીં. સોશ્યલ મીડિયા માટે જે ગાઈડલાઇન બની છે તે ત્રણ મહિનામાં લાગુ કરી દેવાની રહેશે.
Social media platforms on being asked either by court or govt authority will be required to disclose 1st originator of mischievous tweet or message. This should be in relation to sovereignty of India, security of state, relations with foreign states, rape etc: Union Min RS Prasad pic.twitter.com/tU1GhO3ueN
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા જ ઓનલાઈન પ્લેટફોર્મ અને તેના પર નાંખવામાં આવતા કન્ટેન્ટ માટે ગાઈડલાઇન જાહેર કરવા કહેવામાં આવ્યું હતું.
રવિશંકર પ્રસાદે એલાન કર્યું કે હવેથી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મએ અધિકારીઓનને તૈનાત કરવા પડશે અને કોઈ પણ આપત્તિજનક પોસ્ટ 24 કલાકમાં હટાવી દેવી પડશે. ભારતમાં પોતાના નોડલ ઓફિસર અને રેસિડેન્ટ ગ્રીવાન્સ ઓફિસરની નિમણૂક કરવી પડશે અને એક મહિનામાં કેટલી ફરિયાદો પર એક્શન લેવામાં આવ્યું તેની જાણકારી પણ આપવાની રહેશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અફવા ફેલાવનાર વ્યક્તિ કોણ છે તેની જાણકારી આપવી પડશે.
OTT પ્લેટફોર્મ માટે સરકારના નિયમો જાહેર
ડિજિટલ માધ્યમ માટે સરકારે ગાઈડલાઇન જાહેર કરતાં કહ્યું કે ડિજિટલ મીડિયા અને OTT પ્લેટફોર્મે જાણકારી આપવાની રહેશે કે તે શું કામ કરે છે અને કયા પ્રકારનું કન્ટેન્ટ તૈયાર કરે છે. તે બાદ બધાએ એક સેલ્ફ રેગ્યુલેશન લાગુ કરવાના રહેશે અને તે માટે એક બોડી બનાવવામાં આવશે જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અથવા અન્ય કોઈ વ્યક્તિ હેડ કરશે. ઈલેક્ટ્રોનિક મીડિયાની જેમ જ ડિજિટલ મીડિયાએ પણ ભૂલ થવા પર માફી પ્રસારિત કરવાની રહેશે.