ઓથેન્ટિકેશન હિસ્ટ્રીની મદદથી તમે એ જાણકારી મેળવી શકો છો તો તમારા આધારનો ખોટો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને.
આધાર કાર્ડનો ખોટો ઉપયોગ તો નથી થઈ રહ્યો?
મોબાઈલ પર OTP ન આવતો હોય તો આ રીતે કરો ચેક
અહીં જાણો કઈ રીતે બચશો
ભારતમાં આધાર કાર્ડ સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. આધાર કાર્ડનો ઉપયોગ સ્કૂલથી લઈને કોલેજ, હોસ્પિટલ, બેન્ક વગેરે દરેક જગ્યાઓ પર થાય છે. એવામાં જરૂરી છે કે આવા જરૂરી ડોક્યુમેન્ટનો આપણે દુરઉપયોગ થવા દેવાથી બચીએ. જો તમારે ફોન પર આધાર સાથે સંબંધિત ઓટીટી નથી આવી રહ્યો તો સમજી લો તમારા આધાર કાર્ડનો ક્યાંક ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવામાં અમે તમને અમુક એવા સ્ટેપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી તમે સરળતાથી એ ચેક કરી શકો છો કો તમારૂ આધાર કોઈ ખોટા હાથોમાં તો નથી જઈ રહ્યુંને. તો આવો જાણીએ તેના વિશે.
આ રીતે કરો ચેક
એ જાણવા માટે કે ક્યાંક તમારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ તો નથી થઈ રહ્યો. સૌથી પહેલા UIDAIની ઓફિશયલ વેબસાઈટ પર જાઓ
ત્યાર બાદ તમે Aadhaar Services સિલેક્ટ કરો.
ત્યાર બાદ તમે આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી પસંદ કરો.
ત્યાર બાદ તમે પોતાનો આધાર નંબર અને Security કોડ નાખો.
ચત્યાર બાદ તમને ડ્રોપ-ડાઉન મેનુમાંથી Generate Menu પસંદ કરવાનું રહેશે.
ત્યાર બાદ તેમાં OTP નાખો.
બાદમાં તમારી Aadhaar Authentication History જોઈ શકો છો.
હવે આ હિસ્ટ્રીની મદદથી તમે આ જાણકારી પ્રાપ્ત કરી શકો છો કો તમારૂ આધાર કાર્ડ ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે યુઝ થયું છે.
તમને જણાવી દઈએ કે ઓથેન્ટિકેશન હિસ્ટ્રીની મદદથી તમે એ જાણકારી મેળવી શકો છો કે તમારૂ આધાર ખોટી જગ્યા પર ઉપયોગ થઈ રહ્યું છે કે નહીં. આ પ્રોસેસનો તમે ત્યારે જ ઉપયોગ કરી શકો છો જ્યારે તમારો આધાર ફોન નંબર સાથે લિંક હોય. જો આ લિંક નહીં હોય તો તમારી પાસે OTP નહીં આવે અને તમે Authentication History નહીં જોઈ શકો. જો તમારા આધારનો ખોટો ઉપયોગ થયો છે તો તમે UIDAIના ઈમરજન્સી નંબર પર કોલ કરીને ફરીયાદ કરી શકો છો.